મોરબીના માળિયા હાઈવે પર આવેલા અમરનગર ગામ પાસે થોડા દિવસો પહેલા જ એક ગમખ્વાર અકસ્માતમાં ની ઘટના ઘટી હતી ત્યારે ફરી માળિયા હાઈવે પર આવેલ લક્ષ્મીનગર ગામ પાસે ડમ્પર અને રાજસ્થાનથી મોરબી આવતી ખાનગી બસ વચ્ચે વહેલી સવારે 7:30વાગ્યાની આસપાસ જોરદાર અકસ્માત સર્જાયા નો બનાવ બન્યો છે આ બનાવમાં પરશુરામ બીશનોઈ,પુરુ રામ ભાઈ યોગેશ સત્યમુક્તિ,ભટારામ જોગરામ,રહે બાડમેર, ભવરાજી દુબરાજી,પ્રવીણસિંહ રવિન્દ્રસિંહ,વેકટનગેશ નરસીમારહે જામનગર ભીમાભાઈ અમરસીભાઈ રહે પોરબંદર સહિતના મુસાફરોને ઇજા પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં મોરબી પોલીસની ટીમ તેમજ મોરબી 108ની લાલબાગ લોકેશનના ઈએમટી મનીષભાઈ આહીર પાઇલોટ રામભાઈ આહીર તેમજ માર્કેટિંગ યાર્ડ લોકેશનના ઇએમટી ઈકબાલભાઈ અને પાઇલોટ જયદેવસિહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઈજાગ્રસ્ત દર્દીઓને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપી વધુ સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...