આજ રોજ ગાંધીનગર ખાતે મોરબી શહેર ભાજપ મહામંત્રીશ્રી ભાવેશભાઇ કંઝારિયા તેમજ ઉદ્યોગપતિ ગણેશભાઈ ડાભીની આગેવાની હેઠળ મોરબી નગરપાલિકાના પ્રમુખશ્રી કુસુમબેન પરમાર અને મોરબી નગર પાલિકાના ચેરમેન શ્રીઓ, કાઉન્સિલરો, મોરબી શહેરના સતવારા(દલવાડી) સમાજના આગેવાનોએ મોરબી શહેરના વિવિધ પ્રશ્નોને લઈને મોરબી માળીયાના ધારાસભ્ય શ્રી અને ગુજરત રાજ્ય સરકારના મંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજા સાહેબની મુલાકાત
ગુજરાત વિધાનસભા ખાતે કરી હતી અને અમારા પ્રશ્નનો સાંભળી વહેલી તકે આ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે સાહેબ દ્વારા તત્કાલ ફોન કરી સૂચન કરવામાં આવ્યું હતું. મેરજા સાહેબ દ્વારા હકારાત્મક વલણ અપનાવી યોગ્ય ઉકેલની ખાતરી આપી હતી. અને સાથે વિધાનસભા ગૃહમાં અંદર જઇને ચાલુ સત્ર જોવાનો અને સાંભળવાનો મોકો મળ્યો હતો
આ સમયે સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખશ્રી જગદીશભાઈ મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ મોરબી જિલ્લાના મહામંત્રી શ્રી રણછોડભાઈ દલવાડી, અશ્વિનભાઈ, તપનભાઈ હાજર રહ્યા હતા….
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...