મોરબી : મોરબી જિલ્લાની સરકારી કોલેજ રદ્દ કરી તાપીને ફાળવી દેવાતા સામાજિક સંસ્થાઓ નામી અનામી લોકો અને કોંગ્રેસ /આમ આદમી પાર્ટી દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરતા ખુદ ભાજપ નાં આગેવાનો ગાંધીનગર દોડી ગયા હતા અને આરોગ્ય મંત્રી ને રૂબરૂ મળીને મોરબી જિલ્લાને સરકારી મેડિકલ કોલેજ પરત મળે તેવી રજૂઆત કરી હતી
સાથે સાથે કોંગ્રેસે સતત છ દિવસના ધરણા શરૂ કરતા અંતે સરકારે હાલમાં નિર્ણય ફેરવી તોળી મોરબીને રૂપિયા 580 કરોડના ખર્ચે સરકારી મેડિકલ કોલેજ નુ જીએમઇઆરએસ હેઠળ ટેન્ડર બહાર પાડતા આજે ભાજપ અધ્યક્ષ દ્વારા પત્રકાર પરિષદ યોજવામા આવી હતી પરંતુ આરોગ્યમંત્રી કે સરકાર નાં ઓથેનટીક પ્રવક્તા દ્વારા સરકારી મેડિકલ કોલેજ ની કોઈ જાહેરાત કે કોઈ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો નહતો
પણ ભાજપ જિલ્લા પ્રમુખ દુર્લભજીભાઈ જાહેરાત કરી હતી કે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ આપવામાં આવશે અને તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે પત્રકારો એ સવાલો કરયા હતાં કે કોલેજ નું સંચાલન સરકાર દ્વારા કરવામાં આવશે કે પછી અન્ય ખાનગી સંસ્થાને સોંપી દેવામાં આવશે સરકાર દ્વારા બ્રાઉન ફિલ્ડ નો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો તેવો ગ્રીન ફીલ્ડ નો પરિપત્ર ક્યારે બહાર પાડવામાં આવશે આવા તર્ક અને તથ્ય સાથે નાં સવાલો ના જવાબ આપવા નેં બદલે મોરબી જિલ્લામાં સરકારી મેડિકલ કોલેજ મળશે તેવી જાહેરાત કરી હતીતો બીજી તરફ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીલાલ પટેલ અને કોંગ્રેસ અગ્રણી મનોજ પનારાએ પણ પત્રકાર પરિષદ યોજી સરકારની જાહેરાતને પગલે આ નિર્ણયને જનતાની જીત ગણાવી હતી અને જો સરકાર હજુ પણ કઈ ઘાલમેલ કરી મોરબીને સરકારીને બદલે ખાનગી મેડિકલ કોલેજ અંગે નિર્ણય લેશે તો હજુ પણ જલદ આંદોલન કરવાની તૈયારી દર્શાવી સરકારી મેડિકલ કોલેજ માટે ટેન્ડર બહાર પડતા આજે એક દિવસના ધરણા ટૂંકાવવામાં આવ્યા હોવાનું જાહેર કર્યું હતું. ટૂંકમાં હિન્દી ચીની ભાઈ ભાઈ જેવો ઘાટ સર્જાયો હતો .
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...