હળવદ : હળવદ તાલુકાના ચાડધ્રા ગામના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ મધુભા ટાપરીયા (ગઢવી) ને તેઓની સરાહનીય કામગીરી બદલ રાષ્ટ્રપતિ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા હળવદ તાલુકાના ચાડધ્રા ગામના વતની એવા પોલીસ ઈન્સ્પેકટર હિતેન્દ્રસિંહ મધુભા ગઢવીને તેમના કાર્યકાળ દરમિયાન ખૂબ જ પ્રશંસનીય કામગીરી બદલ મેડલ એનાયત કરીને સર્વોત્તમ સમ્માન આપ્યું છે. પીઆઈ એચ એમ ગઢવીના મોટાભાઈ જે એમ ગઢવી પણ પોરબંદર રેન્જમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી રહ્યા છે જ્યારે તેઓના પિતા મધુભાઈ ગઢવી (ટાપરિયા) નિવૃત રેલવે કર્મચારી છે ત્યારે હાલ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આ સમ્માન પ્રાપ્ત થતા ગઢવી (ટાપરિયા) પરિવાર ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હિતેન્દ્ર ગઢવીએ પ્રથમ પીએસઆઈ તરીકે જોડાયા બાદ પીઆઈ તરીકે પ્રમોશન મેળવીને જુદા જુદા જીલ્લાઓમાં ફરજ બજાવી હતી તે દરમિયાન રાજકોટ ડીસીબી ક્રાઈમમાં પીઆઈ તરીકે ફરજ બજાવી હિતેન્દ્ર ગઢવીએ અનેક ગુન્હેગારો અને માફિયાઓને ભોં ભીતર કરી દીધા હતા ત્યારબાદ તેઓને રાજકોટ ડીસીબીમાંથી આઈબીમાં પીઆઈ તરીકે મૂકી દેવામાં આવ્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...