હળવદ:હળવદના ટીકર ગામ નજીક રોડ પર પુરપાટ વેગે આવતાં બેકાબુ બનેલો ટ્રક રોડ પર જઇ રહેલા ઘેટાં બકરાં પર ફરી વળતાં ૧૨ જેટલા ઘેટાં બકરાં નાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયા હતા
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના માલધારી પરિવાર પોતાના ઘેટા બકરા નાં સમુહ ને લઈને કચ્છ થી અમદાવાદ તરફ વાંઢ ખાતે જવા માટે રોડ પસાર થઇ રહ્યા હતા ત્યારે ટીકર ગામ નજીક થી એક ટ્રકમાં જેસીબી રણમાં લઇ જવાતું હતું ત્યારે ટ્રકની બ્રેક ફેઈલ થઇ હતી જેથી ટ્રકચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા બેકાબુ ટ્રક ઘેટાના ઘણ પર ફરી વળ્યો હતો
જે ગમખ્વાર અકસ્માતમાં ૧૨ ઘેટા ટ્રકના મહાકાય વ્હીલ નીચે કચડાઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ છે અને ૧૨ ઘેટાના મૃત્યુથી માલધારી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...