હળવદ સબ-ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં સ્પેશિયાલિસ્ટને રીફર કરવો પડે તેઓ કેસ સમયના અભાવના કારણે સમયસૂચકતા રાખી મિડવાઇઝ ઓફિસર ઉર્વેશ સુમરાએ સૂઝબૂઝ દ્વારા પ્રસૂતિ કરાવીને માતા તેમજ શીશુંને જીવનદાન આપી પોતાની ફરજ તો નિભાવવી જ સાથે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
હળવદ તાલુકાના શિરોહી ગામની મહિલાને અચાનક જ પ્રસુતિની પીડા ઊપડી હતી જેથી તેમને હળવદ સબ-ડીસ્ટ્રીક હોસ્પિટલ લાવવામાં આવ્યા જ્યાં તેમની તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, નવજાત શીશુ અંદરથી મોઢાના ભાગે આવતું હતું. આ સ્થિતિમાં નોર્મલ સામાન્ય પ્રસુતિ કરવી અશક્ય હતી જેથી તેમને ગાયનેકોલોજિસ્ટને રીફર કરવું પડે તેવી પરિસ્થિતી હતી. પરંતુ સમય નહોતો અને જો તેમને અન્ય જગ્યાએ મોકલવામાં આવે તો રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય તો ખતરો પણ ઉભો થઈ શકે તેમ હતું. આવી સ્થિતિમાં સમયસૂચકતાને ધ્યાનમાં રાખી મિડવાઇઝ ઓફિસર ઉર્વેશ સુમરાએ આ કેસને હાથમાં લીધો અને સતત મોનિટરિંગ તેમજ સંભાળ થકી પ્રસૂતિ કરાવી. જે દરમિયાન બીજી મુશ્કેલી એ આવી કે, બાળકના ગળાના ભાગે નાળ વિંટળાયેલી હતી. આવી સ્થિતિમાં લાઈફ સેવિંગ પ્રોસિજર કરીને સામાન્ય પ્રસુતિ કરાવીને માતા અને બાળક એમ બન્નેનો જીવ બચાવ્યો હતો.
ઉર્વેશ સુમરા જણાવે છે કે, આ એવો કેસ હતો કે જેને ગાયનેકોલોજિસ્ટને રીફર કરવો જ પડે અને ત્યાં પણ સિઝેરિયનની જ શક્યતા રહે. વધુમાં કોઈ રિપોર્ટ કે સોનોગ્રાફી વગેરે કરાવેલા ન હતા, જેથી બાળકના ગળાના ભાગે નાળ વિંટળાયેલી હોવાનો પ્રશ્ન પણ સામે આવ્યો. પરંતુ જો તેમને બીજે ક્યાંક મોકલવામાં આવે તો રસ્તામાં કંઈ પણ થઈ શકે તેમ હતું. જેથી સમયસૂચકતાથી અમે પ્રસુતિ કરાવી, કૃત્રિમ શ્વાસોશ્વાસ પણ આપ્યો અને માતા તથા ખાસ કરીને બાળકનો જીવ બચાવી શક્યા.
આજે 1 સપ્ટેમ્બરથી દેશભરમાં અનેક મહત્વના ફેરફારો અમલમાં આવ્યા છે. આ ફેરફારો સીધી રીતે સામાન્ય લોકોના ખિસ્સા અને રોજિંદા જીવનને અસર કરી શકે છે. LPG સિલિન્ડરના ભાવથી લઈને કારની કિંમત, આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી, દૂધ અને ઓટો-ટેક્સીના ભાડા સહિત ટેક્સ અને રોકાણ સાથે જોડાયેલા નિયમોમાં પણ ફેરફાર થયો છે. ત્યારે...
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...