ચાર રાજ્યમાં વિજય મેળવતાં ભાજપ હવે ગુજરાત માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની રણનીતિને બદલવાન મૂડમાં છે
નેતાઓનું પત્તુ કપાઈ શકે છે. વિધાનસભા માટે મિશન 2022 અંતર્ગત યુવાનેને રાજકીય ક્ષેત્રે પ્રમોટ કરવાનો પ્લાન ભાજપનો છે. ખાસ કરીને ભાજપ આ વખતે ચૂંટણીમાં યુવાનોને નવી તક આપવાના મુડમાં છે. ભાજપે જૂના મંત્રીઓના વલણ, વિવાદ અને નિવેદનોને ધ્યાને લીધા હોય એવું હાલમાં દેખાઈ રહ્યું છે.
જે લોકોની ટિકિટ કપાવવાની છે એમાં ધારાસભ્યો અને પૂર્વ મંત્રીઓનું પણ નામ છે. જેમ કે, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા. હાલમાં એવું માનવામાં આવી રહ્યું છે કે, જૂના અને મોટા કદના કહેવાતા મંત્રીઓના નામ કપાઈ શકે છે. જેમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદિપસિંહ જાડેજા, આર.સી.ફળદું, સૌરભ પટેલ, કિરિટસિંહ રાણાનો સમાવેશ થાય છે. તબિયતને કારણે કૌશિક પટેલ અને પુરૂષોત્તમ સોલંકીના પત્તા કપાઈ શકે. જ્યારે બાબુ જમના પટેલ અને જેઠા ભરવાડની પણ આ વખતે છેલ્લી ટર્મ હોઈ શકે છે. બીજી બાજું બાબુ બોખિરીયા, રમણ પાટકર, આત્મારામ પરમાર, યોગેશ પટેલ, મોહન ઢોળીયા, બચુ ખાબડ, શંભુજી ઠાકોર, કિશોર ચૌહાણ તથા ધનજી પટેલની પણ ટિકિટ કપાય એવા એંધાણ છે. બીજી શક્યતાઓ એ પણ સેવાઈ રહી છે કે, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા નેતાઓને પક્ષ ટિકિટ દેવાના મૂડમાં નથઈ. એટલે પત્તા કપાશે એવા એંધાણ છે. જેમાં પરષોત્તમ સાબરિયા અને જીતુ ચૌધરીને ટિકિટ ન પણ મળે. જ્યારે ગજેન્દ્ર પરમારની સામે ફરિયાદને કારણે એની ટિકિટ કપાઈ શકે છે.
આ ઉપરાંત વડોદરામાંથી ભાજપના દબંગ નેતા અને બેફામ નિવેદનને કારણે સતત વિવાદમાં રહેલા મધુ શ્રીવાસ્તવની ટિકિટ ઉપર પણ જોખમ તોળાઈ રહ્યું છે. જ્યારે નારાજગીના સુર વ્યક્ત કરતા ગોવિંદ પરમારની પણ ટિકિટ કટ થઈ શકે છે. જ્યારે ઉંમરને કારણે ચાર મંત્રીઓને પડતા મૂકાઈ શકે છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતને રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. મંચ પરથી બાંધી ભાષામાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, મહિલા સરપંચ ગામનું સંચાલન કરે. ઘણા ગામ અને કોર્પોરેશનમાં એ ચિત્ર જોવા મળ્યું છે કે, મહિલા ખુરશી પર હોય અને વહીવટ, આદેશ અને પાવર એનો પતિ કરતો હોય છે. આવનારી ચૂંટણીમાં કોઈ નવા ચહેરા જોવા મળી શકે એ વાત આ પરથી નિશ્ચિત માની શકયા છે.
ચાલુ વર્ષે ભારતમાં આબોહવા અને ઋતુચક્રમાં એક મોટો તથા ચિંતાજનક બદલાવ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે જે કાળઝાળ ગરમી એપ્રિલ કે મે મહિનામાં અનુભવાતી હોય છે, તેણે આ વર્ષે માર્ચ મહિનાની શરૂઆતમાં જ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશના અનેક રાજ્યોમાં...
રાજકોટ શહેર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીને લઈને સ્થાનિક રાજકીય માહોલ ધીમે ધીમે ગરમાઈ રહ્યો છે. આ ચૂંટણી જંગમાં મજબૂત દાવેદારી નોંધાવવાના હેતુથી આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પોતાની સંગઠનાત્મક તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે પાર્ટી દ્વારા તાજેતરમાં રાજકોટના તમામ વોર્ડ માટે સઘન ઉમેદવાર પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં...
મારુતિનગર પ્રાથમિક શાળામાં આપત્તિ વ્યવસ્થાપન પ્રોજેક્ટ અંતર્ગત શાળા સલામતી અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને આગ, પૂર, ભૂકંપ જેવી આપત્તિઓ સમયે કેવી રીતે સાવચેત રહેવું અને સુરક્ષિત રીતે વર્તવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.કાર્યક્રમના ભાગરૂપે શાળા પરિસરમાં ફાયર ડેમોસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું, જેમાં...