ફિલ્મી સ્ટોરી માં પ્રેમ માં પાગલ યુવક પ્રેમીકા ની એક ઝલક પામવા કોઈ ને કોઈ બહાને તેમના ઘર પાસે આંટાફેરા કરતો જોવા મળે છે આવોજ એક કિસ્સો સામે આવ્યો છે જાણે કે પ્યાર કિયા તો ડરના ક્યા ની જેમ મોરબીમાં યુવતીનો પૂર્વ પ્રેમી પ્રેમિકાના ઘર પાસે રામામંડળ જોવા આવ્યો હતો.જે યુવતીના પરિવારજનોને સારૂ નહી લાગતા યુવકને લમધારીને જાનથી મારવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થવા પામી છે.
જ્યાં ફરિયાદી મહેશભાઇ દયારામભાઇ પરમારે યુવતીના પરિવારજનો સુરેશભાઇ ભાણજીભાઇ પરમાર, જેરામભાઇ ભાણજીભાઇ પરમાર, કાંતીલાલ ભાણજીભાઇ પરમાર અને જેરામભાઇના દીકરા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. જ્યાં મહેશભાઇએ જણાવ્યું હતું કે, તેને સુરેશભાઇની દિકરી સાથે અગાઉ પ્રેમ સંબધ હોય જેની જાણ સુરેશભાઇને થતા તેને આ પ્રેમ સંબધ મંજુર ન હોય, જેથી હવે પછી સંબધ નહી રાખવા બન્ને પક્ષે સમાધાન થયેલ હોય થયું હતું.
આ ઘટના બાદ ગતતા. ૨૩ ના રાત્રીના મહેશભાઇ કનેકડાની વાડીમાં રામામંડળ રમાતુ હોય જે જોવા માટે ગયેલ હોય જેથી આરોપીઓને સારૂ નહી લાગતા આ કામના આરોપીઓએ ‘અમારા ઘર બાજુ કેમ આવેલ છો‘ તેમ કહી મહેશભાઇને ભુંડાબોલી ગાળો આપી ઢીકા પાટુનો માર મારી તથા જેરામભાઇએ મહેશભાઇને પટ્ટા વડે વાસાના ભાગે માર મારી આખા શરીરે મુંઢ ઇજાઓ કરી હતી. અને ‘જો ફરીવાર અમારા ઘર બાજુ આવીસ તો જાનથી મારી નાખશુ‘ તેવી ધમકી આપી હતી.જે મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે આઇ.પી.સી કલમ-૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...