વિશ્વ પ્રસિદ્ધ આધ્યાત્મિક સંત સદગુરૂ જગ્ગી વાસુદેવ વિશ્વઉમિયાધામના મહેમાન બન્યા. આજ રોજ તા.31/05/22ને મંગળવારના રોજ ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક શ્રી સદગુરૂ અમદાવાદના જાસપુર ખાતે વિશ્વઉમિધામના નિર્માણધીન વિશ્વના સૌથી ઉંચા જગત જનની મા ઉમિયાના મંદિરની શિલાનું પૂજન કર્યું હતું.
સાથો સાથ અભિભાવક રૂપે સદગુરૂજીએ મા ઉમિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. લંડનથી શરૂ થયેલી અને વિશ્વના અનેકો દેશમાં પસાર થયેલી SAVE SOIL યાત્રા અનુસંધાને સદ્દગુરૂ આજે વહેલી સવારે 7 વાગ્યે વિશ્વઉમિયાધામ પધાર્યા હતા. સદ્દગુરૂએ ભાવિ ભક્તોને સંબોધતાં વર્તમાન પરિસ્થિતિમાં માટીને કેવી રીતે સુરક્ષિત રાખી શકાય કે જેથી આવનાર પેઢીઓને સારો ખોરાક અને જીવન મળે તે અંગે માર્ગદર્શન પણ આપ્યું હતું.
ધન્યક્ષણના સાક્ષી બની સર્વે ભક્તો આનંદવિભોર થઈ ગૌરવની અનુભુતી કરી હતી. આ પ્રસંગે વિગતે વાત કરતાં વિશ્વઉમિયાધામના પ્રણેતા અને સંસ્થા પ્રમુખશ્રી આર.પી.પટેલે જણાવ્યું હતું કે સદ્દગુરૂ જગત જનની મા ઉમિયાના ફેબ્રુઆરી 2020માં યોજાયેલા શિલાન્યાસ પ્રસંગમાં આવવાના હતા. સંજોગોવસાત કાર્યક્રમ બદલતાં તેઓ પધારી નહોતા શક્યા. પરંતુ સેવ સોઈલની યાત્રા અમદાવાદથી પસાર થતી હોય સદ્દગુરૂએ માતાજીના આશીર્વાદ લેવા અને શિલાપૂજન કરવા માટે ઈચ્છા દર્શાવી હતી જેના ભાગ રૂપે સદગુરૂ વિશ્વઉમિયાધામ પધાર્યા હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...