મોરબી નગરપાલિકાના સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી વોર્ડ નંબર – 6 માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ કરી છે.
મોરબીના પાલિકા વોર્ડ-નં-13ના સદસ્ય જશવંતી સોનગ્રાએ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર- 6માં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં વર્ષો પહેલાં સસ્તા અનાજની દુકાન હતી પરંતુ દુકાનદારે રાજીનામું આપ્યા બાદ આજદિન સુધી અહીં નવી દુકાન ખોલવામાં આવી નથી જેથી રાશન કાર્ડધારકોને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને રાસન લેવા લાંબુ થયું પડે છે.
અહીં આ વિસ્તારના લોકો મોટાભાગે ગરીબ અને શ્રમજીવી હોય તેઓને મોંઘાડાટ રિક્ષાના ભાડા ના ખર્ચા કરવા પડે છે.અહીં 6 હજાર જેટલી વસ્તી છે. જ્યારે અગાઉ સસ્તા અનાજની દુકાન હતી ત્યારે 700 જેટલા કાર્ડ હતા જે હાલ અન્ય દુકાનદારને તબ દિલ કરી નાખેલ છે તેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવી પડે છે અને ગરીબ માણસોને સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીં નિયમો અનુસાર જાહેરનામું બહાર પાડી નવી સસ્તા અનાજની દુકાન ચાલુ કરવા રજૂઆત કરાવી છે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...