મોરબી નગરપાલિકાના સદસ્ય દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરી વોર્ડ નંબર – 6 માં સસ્તા અનાજની દુકાન ખોલવા માંગ કરી છે.
મોરબીના પાલિકા વોર્ડ-નં-13ના સદસ્ય જશવંતી સોનગ્રાએ જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વોર્ડ નંબર- 6માં આવેલ કબીર ટેકરી વિસ્તારમાં વર્ષો પહેલાં સસ્તા અનાજની દુકાન હતી પરંતુ દુકાનદારે રાજીનામું આપ્યા બાદ આજદિન સુધી અહીં નવી દુકાન ખોલવામાં આવી નથી જેથી રાશન કાર્ડધારકોને વજેપર તથા કાલીકા પ્લોટ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાને રાસન લેવા લાંબુ થયું પડે છે.
અહીં આ વિસ્તારના લોકો મોટાભાગે ગરીબ અને શ્રમજીવી હોય તેઓને મોંઘાડાટ રિક્ષાના ભાડા ના ખર્ચા કરવા પડે છે.અહીં 6 હજાર જેટલી વસ્તી છે. જ્યારે અગાઉ સસ્તા અનાજની દુકાન હતી ત્યારે 700 જેટલા કાર્ડ હતા જે હાલ અન્ય દુકાનદારને તબ દિલ કરી નાખેલ છે તેથી પ્રજાને પારાવાર મુશ્કેલી ભોગવી પડે છે અને ગરીબ માણસોને સરકાર તરફથી મળતો અનાજનો જથ્થો સમયસર અને નજીકથી મેળવી શકે તે હેતુથી અહીં નિયમો અનુસાર જાહેરનામું બહાર પાડી નવી સસ્તા અનાજની દુકાન ચાલુ કરવા રજૂઆત કરાવી છે
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...