માળિયા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે એક ઈસમ દ્વારા યુવકને માથાના ભાગે તેમજ નાકના ભાગે ઘા મારી ગંભીર ઈજાઓ કરવામાં આવી હતી. તેમજ તેમનું મોત નિપજવા આવ્યું હતું ત્યારે મૃતકના ભાઈ દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
જાણવા મળતી વિગતો અનુસાર, મૃતક લેરાજી ચમનજી બલોધણા (ઉ.વ.આ.૩૫ રહે.અસાણા જી.બનાસકાંઠા ) વાળા પીપળીયા ચોકડી પાસે રાધે ક્રિષ્ના ઓટો પાટૅસની સામે રોડની સાઇડમા જતા હોય ત્યારે આરોપી દિનેશભાઇ વરસંગભાઇ રજપુત દ્વારા ત્યાં આવી કોઈ કારણોસર તેમને માથાના ભાગ પર તેમજ નાકના ભાગ પર કોઈ હથિયાર વાળી ગંભીર ઈજાઓ કરેલ હોઈ અને તેમનું મોત નીપજાવી હોઈ. તેવી ફરિયાદ મૃતકનાં ભાઈ હિરાજી ચમનજી બલોધણા દ્વારા માળિયા મી. પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...