મોરબી : આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા 09 જુલાઈ ના રોજ વિશ્વ પ્રસિધ્ધ શ્રી જગન્નાથ રથયાત્રા નુ આયોજન કરવામાં આવી રહ્યું છે.
જે રથયાત્રા બપોરે 3 વાગ્યા થી રવાપર ચોકડી વિસ્તારથી શરુ થયને ગાંધીચોક થી ઉમીયા સર્કલ થયને રવાપર ચોકડી પહોંચશે.રથયાત્રા મા ભગવાન જગન્નાથ તેમના મોટાભાઈ બલદેવ અને બહેન સુભદ્રા ની સાથે વિશાળ રથ ઉપર બિરાજમાન થયને નગર ભ્રમણ પર નિકળશે જ્યાં ભક્તજનો દ્વારા ભગવાનજી નુ રથ ખેંચવામાં આવશે. રથ દોરવાની મોટી મહિમા શાસ્ત્રો મા ઉલ્લેખીત છે.આ અનેરા અવસર પર વડોદરા, જામનગર, રાજકોટ ના સાથે રશિયા, કઝાકિસ્તાન તથા યુક્રેન થી ભક્ત વિશેષ ઉપસ્થિત રહેશે.રથયાત્રા સમાપન પછી દરેક ભક્તજનો માટે ભોજન મહાપ્રસાદ ની વ્યવસ્થા રાખવામાં આવી છે. જગન્નાથ રથયાત્રા દર્શન તથા મહાપ્રસાદ નુ લાભલેવા મોરબી ના સમગ્ર ભક્તજનો ને આંતરરાષ્ટ્રીય ક્રૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન ના મોરબી કેન્દ્ર દ્વારા આમંત્રણ આપવામા આવે છે.
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...