ભાજપ એક બાજુ રેવડી ક્લચરનો વિરોધ કરી રહી છે તો બીજી તરફ ભાજપ રેવડી ક્લચર અનુસરી રહ્યું હોઈ તેવો ઘાટ સર્જાયો હોઈ તેવું લાગી રહ્યું છે
મળતી માહિતી મુજબ વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસ આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા.૨૭ અને ૨૮ ઓગસ્ટના બે દિવસના ગુજરાત પ્રવાસ પર આવી રહ્યા છે. જેમાં ૨૭ના સાબરમતી રિવરફ્રન્ટ પર આવશે અને ૨૮ના એ કચ્છ જિલ્લાના પ્રવાસ પર આવશે જેથી પ્રધાનમંત્રીના પ્રવાસને લઈ રાજયભરમાથી લોકોને ભેગા કરવા પ્રદેશ ભાજપ અને સરકાર સક્રિય બન્યું છે . તેના કારણે એસટી બસ તેમજ ખાનગી વાહનો અમદાવાદ અને કચ્છ તરફ મોકલવામાં આવી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લામાંથી પણ આગામી ૨૭ અને ૨૮ઓગસ્ટના કાર્યક્રમ માટે ૨૦ જેટલી એસટી બસ ફળવવવામાં આવી છે. જેના કારણે મોરબીના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી અનેક એસટી બસના રૂટ કેન્સલ કરાતા કલાકો સુધી રાહ જોવા છતાં લોકોને બસ ન મળતા રોષની લાગણી પ્રસરી ગઇ હતી સરકારી કાર્યક્રમમાં સરકારી સાધનોના અણધડ ઉપયોગથી એક તરફ પ્રજાને હાલાકીનો અનુભવ થતો હોય છે તો બીજી તરફ આર્થિક નુકશાન પણ સહન કરવું પડે છે.
ગત વર્ષે નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનની સ્થાપના ના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જયુબિલી ની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી હતી એમાં ભૂતપૂર્વ સ્ટાફ અને ભૂતપૂર્વક સ્ટુડન્ટસ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયાને વિચાર આવ્યો કે સમગ્ર નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના વર્તમાન વાલીઓને પણ આપણે એક સાથે બોલાવીએ...
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ક્લસ્ટર નં-૦૯ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં ક્લસ્ટર નં-૦૯ ના સફાઇ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ.
તદુપરાંત ધુનડા રોડ, સ્ટેટ હાઇવે, ગોકુલનગર તથા ભક્તિનગર પાસે આવેલ GVP પોઈન્ટની વિઝીટ કરવામાં આવેલ તથા લાઈન્સ નગર તેમજ શ્રીજી પાર્ક સોસાયટી ખાતે ડોર ટુ ડોર કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવેલ. જાહેરમાં...