દિવ્યાંગ મતદારોને PWD APP તથા Voter Helpline અંગે જાગૃત કરાયા
મોરબી જિલ્લામાં PWD અંતર્ગત કાઠીયાવાડ નિરાશ્રિત સંચાલિત વૃદ્ધાશ્રમ મોરબી તેમજ બી.આર.સી.ભવન મોરબી ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ(SVEEP) કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એસ.એમ.કાથડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકશાહીમાં એક એક મતનું આગવું મહત્વ છે. દિવ્યાંગ મતદારોને પણ તેમના અમૂલ્ય મતનું મહત્વ સમજાવી મતદાન કરવા તેમણે પ્રેત્સાહિત કર્યા હતા તથા મતદાર યાદીમાં નામ નોંધાવવા તેમજ સુધારા વધારા માટે પણ અપીલ કરી હતી. આ તકે મતદાર યાદી સંબંધિત ફોર્મ નંબર ૬, ફોર્મ નંબર ૬(B), ફોર્મ ૮ વગેરે ફોર્મ ભરાવવામાં આવ્યા હતા. ઉપરાંત PWD APP તથા Voter Helpline અંગે દિવ્યાંગ મતદારોને જાગૃત કરવામાં આવ્યા હતા તેમજ PWD APP પણ ડાઉનલોડ કરાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વૃદ્ધાશ્રમના ૪૩ અંતેવાસી તેમજ ૩૫ દિવ્યાંગ લાભાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
મતદાન જાગૃતિ અંગેના આ કાર્યક્રમમાં PWD નોડલ તથા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એ.એફ.પિપલીયા તેમજ ૬૫ મોરબી વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, મોરબીના નાયબ મામલતદારશ્રી જી.એસ.જાડેજા તેમજ બી.એલ.ઓ. વગેરેએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...