મોરબી: મોરબીના પંચાસર રોડ પર રેહતા યુવાને તેની પત્ની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કે તે પોતાના માતાપિતા ને ઘેરજવા નથી દેતી તથા તેને પોતાના ઘેરે આવવા ન દતી હોવાથી યુવકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ આજકાલ યુવાનોમાં પશ્ચિમી સંસ્કૃતિના જોર વધતુ જઈ રહ્યુ છે જેમાં લોકો પોતાના ઘરપરીવાર સાથે રેહવા કરતા એકલા રહેવાનું પસંદ કરે છે. ત્યારે મોરબીમાં એક યુવાને પોતાના માતાપિતા ને ઘેરજવા આવવા ન દેતી હોવાથી પોતાની જ પત્ની વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી.
મોરબીમાં પંચાસર રોડ ભાભા એકસ્પોર્ટ હાઉસ પાછળ નિલકંઠ હાઇટસ એપાર્ટમેન્ટ ફલેટ નં.૪૦૩/બી માં રહેતા જનકભાઇ છગનભાઇ મારવાણીયા ( ઉ.વ.૩૭) એ આરોપી પોતાની પત્ની મનીષબેન જનકભાઇ મારવાણીયા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે જનકભાઈના બા-બાપુજી તથા તેના ભાઇઓને જનકભાઈના ૫ત્ની આરોપી મનિષાબેન તેઓના ઘરે આવવા તથા તેઓના ઘરે જવા દેતા ન હોય અને ફરીયાદીના નાનાભાઇ નવીનભાઇ ને બે દિવસ પહેલા મોટરસાયકલ આપેલ હોય જે અંગે આરોપીએ મને પુછયા વગર કેમ મોટરસાયકલ આપેલ તેમ કહી ગાળો આપી ફરીયાદીને પ્લાસટીકની લાકડી વડે માથાના ભાગે તથા જમણા હાથમાં કોણીં પાસે ઇજા કરી હતી. જેથી જનકભાઈએ પોતાની પત્નીથી કંટાળી તેમની વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...