મોરબી: વર્ષ 2022 માં સાયન્સની બોર્ડ પરીક્ષામાં સૌથી વધુ 3 A1 ગ્રેડ વિદ્યાર્થીઓ આપ્યા બાદ, JEE MAINની પરીક્ષામાં સમગ્ર મોરબી જિલ્લા પ્રથમ રહયા બાદ, NEETની પરીક્ષામાં પણ નવયુગ સાયન્સ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે.
નવયુગ સાયન્સ સ્કુલમાં NEET ની પરીક્ષામાં 720 માર્કસ માંથી 590થી વધુ માર્કસ મેળવનારા 3 વિદ્યાર્થીઓએ ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં કલોલા વિશ્વાસ કે. 633 માર્કસ, કુંડારીયા વિમલ એમ. 598 માર્કસ અને કડિવાર કેવિન એ. 594 માર્કસ મેળવ્યા છે. તેમજ 400 થી વધુ માર્કસ મેળવનારા નવયુગના કુલ 21 વિદ્યાર્થીઓ છે.
આ બધા વિદ્યાર્થીઓએ ઝળહતી સફળતા પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યુ છે. આ તમામ વિદ્યાર્થીઓને નવયુગ ગૃપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...