પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિતે મોરબીનાં પૂર્વ ધારાસભ્ય કાંતીભાઈના નિવાસ સ્થાને આયુષ્ય યજ્ઞ યોજાશે
કોરોના દિવંગતોના મોક્ષાર્થે, કાંતિભાઈ અમૃતિયા પરિવાર દ્વારા આયોજીત, પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખે, શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહ્યો છે અને સમગ્ર મોરબી ધર્મમય બની ગયું છે ત્યારે પ્રસન્નતાની વાત એ છે કે તારીખ 12.09 થી 18.09 સુધી ચાલનારી આ કથા દરમિયાન તા. 17.09.2022 ના રોજ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી નો 72 મો જન્મદિવસ છે. સમગ્ર ભારતવાસીઓ મોદીજીના દીર્ઘાયુષ્યની કામના કરી રહ્યા છે.
ત્યારે પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની નિશ્રામાં, અનોખી એવી સાંદીપની વૈદિક રિચ્યુઅલ ટીમ દ્વારા, સમગ્ર વિશ્વમાં વૈદિક અનુષ્ઠાન અને વિદ્વતાપૂર્ણ યજ્ઞકાર્યો થકી, ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરી, આર્યાવર્તની અસ્મિતાની ધજા પતાકા લહેરાવાઈ રહી છે. આ સમયે કાંતિભાઈ અમૃતિયા દ્વારા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પાવન નિશ્રામાં માન. પ્રધાનમંત્રીના 72 મા જન્મદિવસે, 17.09.2022 શનિવારના રોજ, બપોરે 3:30 કલાકે ઉમા ટાઉનશીપ મુકામે, કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને, નરેન્દ્રભાઈ મોદીજીના દિર્ઘાયુષ્ય માટે, સનાતની વૈદિક પદ્ધતિથી, આયુષ્ય યજ્ઞ સંપન્ન કરવામાં આવશે.