મોરબી: ગુજરાતમાં આજે માલધારી સમાજ દ્વારા ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચવાની મુખ્ય માંગ સાથે આજે મોરબી સહીત રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ નહીં કરવા અંગે નિર્ણય કર્યો છે. ત્યારે મોરબીમાં આજે આ દુધની હડતાલને સમર્થન મળ્યું છે. મોરબીમાં આજે મોટાભાગની ખાનગી ડેરીઓ બંધ જોવા મળી રહી છે તેમજ માલધારીઓ દ્વારા આપવામાં આવતુ ઘર -ઘર દુધ વિતરણ પણ બંધ રહ્યું છે. મોરબીમાં આજે માલધારીઓ સમાજના આ ગુજરાત બંધના એલાનના કારણે ચાની લારીઓ અને હોટલો બંધ રહી હતી. મોરબી જિલ્લા અને શહેરમાં પણ દૂધ વિતરણ બંધ રહ્યું હોવાના સમાચાર સાંપડી રહ્યા છે.
માલધારી સમાજે વિવિધ ૧૧ જેટલી માંગણીઓ માટે સરકાર વિરુદ્ધ બાયો ચડાવી છે. સરકાર ઢોર નિયંત્રણ કાયદો પાછો ખેંચે, ગૌચર ખાલી કરાવે, માલધારીઓને વાડા હક્કની જમીન આપે વગેરે જેવી અગીયાર માંગણીઓ માટે આજે ગુજરાત બંધનું એલાન કરેલ છે.
આજે મોરબી શહેર અને જિલ્લામાં માલધારી સમાજના આગેવાન નવઘણભાઈ રબારી, હરી ભરવાડ, ભરતભાઈ બતાડા, અરજણભાઈ રબારી તેમજ પૂંજાભાઈએ દૂધ વિતરણ માટે આવતા માલધારી સમાજને સમજાવી દૂધ વિતરણ બંધ રાખવાનું કહેતા ગ્રામ્ય વિસ્તારમાં સરકારી ડેરી તથા ખાનગી ડેરીમાં દૂધ ભરવા માલધારી કોઈ ગયા ન હતા. આજે મોરબી શહેરમાં પણ સંપૂર્ણ દૂધનું વિતરણ બંધ રહેલ. સાથે સરકારી ડેરીનું દૂધ પણ આજે મોરબી શહેરમાં વિતરણ થયેલ નથી. ડેરી ચલાવતા માલધારી સમાજના લોકોએ ડેરીઓ બંધ રાખેલ છે.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...