લાયન્સ કલબ ઓફ મોરબી દ્વારા બીજી ઓક્ટોબરે નવરાત્રી મહોત્સવમાં નાની-મોટી ૭૦ બાળાઓને પ્રોત્સાહિત કરાઈ
મોરબી: લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા નવરાત્રિ મહોત્સવમા બીજી ઓકટોમ્બરે ગાંધી જયંતિ અને લાલબહાદુર શાસ્ત્રી જન્મ જયંતિ નિમિત્તે તેમજ વિશ્વવૃદ્ધ દિવસના રોજ નવલખી રોડ પર આવેલ રણછોડનગર સોસાયટીમાં સાઈ મંદીર તથા હનુમાનજી મંદિરના પટાંગણમાં ગરીબ પરિવારની બાળાઓ કે જેઓએ નવરાત્રિ ગરબીમાં ભાગ લીધો હોય તેવી નાની મોટી ૭૦ બાળાઓ અને સેવક બહેનોને પ્રોત્સાહીત કરતા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ જીજ્ઞેશભાઈ કાવર સેક્રેટરી, કેશુભાઈ ખજાનચી તથા પાસ્ટ પ્રેસિડેન્ટ, ટી.સી. ફુલતરિયા સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઇસ ગવર્નર, રમેશભાઈ રૂપાલા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો મનીલાલભાઈ કાવર, મહાદેવભાઇ ચિખલિયા, પ્રાણજીવન ભાઈ રંગપડીયા તથા મંદિરના સંચાલક પુજારી બાબુભાઈ અને સોસાયટીના રહીશોની હાજરીમાં બાળાઓને લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના તમામ સભ્યો એ પ્રોત્સાહિત કરી સાથે નાની બાળાઓના ગરબા રાશ નિહાળી અને માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. તેમજ બાળાઓ પણ ખૂબજ ખુશ થઈ આ રીતે સ્લમવિસ્તારની દીકરીઓને મદદરૂપ થઈ દરેક સભ્યો આંનંદિત થયા છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...