મોરબી: મોરબી જીલ્લામાં અવારનવાર સીરામીક ઉદ્યોગમાં જીએસટી ચોરીની શંકાએ રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા ઓચિંતા ચેકીંગ કરવામાં આવતું હોય છે. જેમાં અનેક વખતે નાની મોટી કર ચોરી સામે આવતી હોય છે ત્યારે સીરામીક ટાઇલ્સ ભરેલા ટ્રકો ઉપર નિશાન તાકી રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા સોમવારે રાત્રીના મોરબી આસપાસના હાઈવે પર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતુ જેમાં જીએસટી ચોરીની આશંકાએ સિરામિક ટાઈલ્સની સાત ટ્રકોને ડીટેન કરવામાં આવી હતી.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં તાજેતરમાં જ એક મહીનાનુ સ્વૈચ્છિક વેકેશન પુરૂ થયું છે અને ધીમે-ધીમે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે. ત્યારે સાથેસાથે જીએસટી ચોરી પણ ચાલુ થઈ ગયાની આશંકાના આધારે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષ હેડકવાર્ટરની પ્રિવેન્ટીવ વીંગ ટીમ પણ એકશન મોડમાં આવી છે. ત્યારે મોરબીમાં સોમવારે મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન અલગ અલગ કંપનીના સાત ટ્રકના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા આ ટ્રક શંકાસ્પદ જણાયા હતા. જે બાદ જીએસટી વિભાગની ટીમે સાતેય ટ્રક ડીટેઇન કરીને વધુ તપાસ અર્થે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે લય જવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના ઓચિંતા ચેકીંગથી કરચોરી કરતા સીરામીક ઉદ્યોગકારોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. હાલ સાતેય પકડાયેલા ટ્રકોની જીએસટીને લગતા ડોકયુમેન્ટની ચકાસણી કરવામા આવી રહી છે ત્યાર પછી ડયુટીની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેમજ આવનાર દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા વધુ કરચોરી પકડવામાં આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...