મોરબી: મોરબી જીલ્લામાં અવારનવાર સીરામીક ઉદ્યોગમાં જીએસટી ચોરીની શંકાએ રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા ઓચિંતા ચેકીંગ કરવામાં આવતું હોય છે. જેમાં અનેક વખતે નાની મોટી કર ચોરી સામે આવતી હોય છે ત્યારે સીરામીક ટાઇલ્સ ભરેલા ટ્રકો ઉપર નિશાન તાકી રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા સોમવારે રાત્રીના મોરબી આસપાસના હાઈવે પર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતુ જેમાં જીએસટી ચોરીની આશંકાએ સિરામિક ટાઈલ્સની સાત ટ્રકોને ડીટેન કરવામાં આવી હતી.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં તાજેતરમાં જ એક મહીનાનુ સ્વૈચ્છિક વેકેશન પુરૂ થયું છે અને ધીમે-ધીમે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે. ત્યારે સાથેસાથે જીએસટી ચોરી પણ ચાલુ થઈ ગયાની આશંકાના આધારે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષ હેડકવાર્ટરની પ્રિવેન્ટીવ વીંગ ટીમ પણ એકશન મોડમાં આવી છે. ત્યારે મોરબીમાં સોમવારે મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન અલગ અલગ કંપનીના સાત ટ્રકના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા આ ટ્રક શંકાસ્પદ જણાયા હતા. જે બાદ જીએસટી વિભાગની ટીમે સાતેય ટ્રક ડીટેઇન કરીને વધુ તપાસ અર્થે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે લય જવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના ઓચિંતા ચેકીંગથી કરચોરી કરતા સીરામીક ઉદ્યોગકારોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. હાલ સાતેય પકડાયેલા ટ્રકોની જીએસટીને લગતા ડોકયુમેન્ટની ચકાસણી કરવામા આવી રહી છે ત્યાર પછી ડયુટીની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેમજ આવનાર દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા વધુ કરચોરી પકડવામાં આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
મહાનુભાવોના હસ્તે પર્યાવરણ ક્ષેત્રે પ્રેરણારૂપ કામગીરી કરનાર જિલ્લાના પર્યાવરણવીરોનું વિશેષ સન્માન કરાયું
મોરબીમાં રફાળેશ્વર નજીક પાંજરાપોળની ભૂમિ પર એક પેડ મા કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત અંદાજિત ૩૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુળભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત...
હમણાં ઘણા સમય થી મોરબી જીલ્લા મા જાગૃતિ અભ્યાન ચાલી રહ્યું હોય તેના ભાગ રૂપે આજે વિસીપરા વિસ્તાર ના રહીશો ની જે વર્ષો જૂની સમસ્યા ઓ જેવી કે પાણી ના યોગ્ય નિકાલ નથી, ગટરો ની સાફસફાઈ યોગ્ય નથી , રોડ રસ્તા ના પ્રશ્નો , લાઈટો ના પ્રશ્નો આવા અનેક...