મોરબી: મોરબી જીલ્લામાં અવારનવાર સીરામીક ઉદ્યોગમાં જીએસટી ચોરીની શંકાએ રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા ઓચિંતા ચેકીંગ કરવામાં આવતું હોય છે. જેમાં અનેક વખતે નાની મોટી કર ચોરી સામે આવતી હોય છે ત્યારે સીરામીક ટાઇલ્સ ભરેલા ટ્રકો ઉપર નિશાન તાકી રાજકોટ સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષની પ્રિવેન્ટીવ ટીમ દ્વારા સોમવારે રાત્રીના મોરબી આસપાસના હાઈવે પર સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતુ જેમાં જીએસટી ચોરીની આશંકાએ સિરામિક ટાઈલ્સની સાત ટ્રકોને ડીટેન કરવામાં આવી હતી.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં તાજેતરમાં જ એક મહીનાનુ સ્વૈચ્છિક વેકેશન પુરૂ થયું છે અને ધીમે-ધીમે કારખાનાઓ શરૂ થઈ રહ્યા છે. ત્યારે સાથેસાથે જીએસટી ચોરી પણ ચાલુ થઈ ગયાની આશંકાના આધારે સેન્ટ્રલ ગુડસ એન્ડ સર્વિસટેક્ષ હેડકવાર્ટરની પ્રિવેન્ટીવ વીંગ ટીમ પણ એકશન મોડમાં આવી છે. ત્યારે મોરબીમાં સોમવારે મોડી રાત્રે સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે ચેકીંગ દરમિયાન અલગ અલગ કંપનીના સાત ટ્રકના ડોક્યુમેન્ટની ચકાસણી કરતા આ ટ્રક શંકાસ્પદ જણાયા હતા. જે બાદ જીએસટી વિભાગની ટીમે સાતેય ટ્રક ડીટેઇન કરીને વધુ તપાસ અર્થે રાજકોટ હેડ ક્વાર્ટર ખાતે લય જવામાં આવ્યા હતા. જીએસટી વિભાગના ઓચિંતા ચેકીંગથી કરચોરી કરતા સીરામીક ઉદ્યોગકારોમાં ભય વ્યાપી જવા પામ્યો છે. હાલ સાતેય પકડાયેલા ટ્રકોની જીએસટીને લગતા ડોકયુમેન્ટની ચકાસણી કરવામા આવી રહી છે ત્યાર પછી ડયુટીની વસુલાતની કાર્યવાહી હાથ ધરવામા આવશે. તેમજ આવનાર દિવસોમાં જીએસટી વિભાગ દ્વારા વધુ કરચોરી પકડવામાં આવે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...