સૌરાષ્ટ્ર અને ખાસ કરીને મોરબી પંથકમાં નવરાત્રી થી દેવ દિવાળી સુધીમાં ગૌસેવા કે કોઈના લાભાર્થે ટૂંકમાં પરમાર્થ કાજે રાત્રિ નાટકોના આયોજન કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં નાટકો અતિ સફળ થયા છે. પરંતુ ગામડાનાં લોકો મોરબી શહેર માં આવીને વસ્યા છે જેથી નાટક મોરબીના વિસ્તારમાં પણ યોજાય છે.
મોરબી નો ઇતિહાસ ઉજાગર કરતું નાટક મચ્છુ તારા વહેતા પાણી જે ન્યુ ચંદ્રેશ નગરમાં યુવાનોએ ભજવી બતાવ્યું. જેમાં સ્ત્રીપાત્ર પણ યુવાનો જ ભજવતા હોય જેમને સેવા કાર્ય કરવાનો મોકો મળ્યો હોવાનું માનીને પોતાનો નિજાનંદ માણે છે. તારીખ ૧૧-૮-૧૯૭૯ ના દિવસે મચ્છુ-૨ ડેમ તૂટતા મોરબી શહેરમાં જળ હોનારત સર્જાયું હતું. જે કોઈના શ્રાપથી થયું હોવાનું પણ હાલ પણ લોકવાયકા ચાલી રહી છે. અને આ જળ હોનારત પછી આમ મચ્છુ ને કવિઓએ ગોજારણ કહી છે. જેની બે લીટી ની ઝલક અહીં આપીએ * મચ્છુ તારા પાણી એ મોરબી મસાણ થઈ
મોરબી મસાણ થઈને તું કંઈક ને ભરખી ગઇ
ગોજારણ તારા પાણીએ મોરબી તણાઈ ગઈ
મોરબી શહેર એ ઢેલડીનગર તરીકે ઓળખાતું. આ ઢેલડી નગરના રાજા રાવત રણસિંહ, ખીમડીયો કોટવાળ અને ડાલણદે નો ઇતિહાસ છે. અહીં એક વાત જણાવી દઈએ કે રાવત રણસિંહ પ્રજા વત્સલ રાજા હોવા છતાં તેઓ પ્રજામાં ક્રૂર બન્યા હતા. ત્યારે તેમનો કોટવાળ તેમનો સલાહકાર હતો. આ કોટવાળે રાવત રણસિંહ ને અવળા માર્ગે વાળ્યા. જેના કારણે આ મચ્છુ તારા વહેતા પાણીનો ઇતિહાસ રચાયો. જીવનમાં સફળ થવા માટે સલાહકાર હંશલા જેવા હોવા જોઇએ, કાગડા જેવા નહિ. તેવો બોધપાઠ આ ઇતિહાસ માં મળે છે.
મોરબી: મોરબી શહેરને આંગણે શ્રીનરનારાયણદેવ ગાદી સંસ્થા સંચાલિત દરબારગઢ શ્રીસ્વામીનારાયણ મંદિર માં બિરાજમાન સર્વાવતારી મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ ને ૧૫૦ વર્ષ પૂર્ણ થતા શ્રીહરિ સાર્ધ શતાબ્દી મહોત્સવ આગામી ૧૭-૫-૨૦૨૪ થી ૨૩-૦૫-૨૦૨૪ ના રોજ ઉજવવા જય રહ્યા છીએ, આ મહોત્સવના અંતર્ગત સપ્તદિનાત્મક શ્રીમદ્ સત્સંગિજીવન કથાપારાયણનું આયોજન કરવામાં આવશે,
જેમાં મુળીધામના આભૂષણ...
મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ડો.કુસુમબેન એ. દોશી અન્નપૂર્ણા રથ ના માધ્યમથી મોરબી સિવિલ હોસ્પીટલ માં ૪૦ જેટલી પ્રસુતા માતાઓને ચોખ્ખા ઘી નો શીરો અર્પણ કરવામાં આવ્યો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત ચલાવવામાં આવે છે તેમજ જલારામ...