નવરાત્રિ એટલે જગત જનની મા ઉમિયાની આરધનાનું પર્વ. અને એટલે જ વર્ષ 2022ની નવરાત્રિમાં UV Club અમદાવાદ ( ધ ક્લબ ઓફ ઉમાવંશી અમદાવાદ) દ્વારા ઓગણજ નજીક આવેલા 9 બ્રધર્સ ગ્રાઉન્ડમાં બે દિવસીય રાસોત્સવનું આયોજન કરાયું હતું.
આ બે દિવસીય રાસોત્સવમાં સૌરાષ્ટ્રથી આવી અને અમદાવાદમાં ધંધા અને નોકરી અર્થે વસેલા કડવા પાટીદાર સમાજના 12 હજારથી વધુ પરિવારોએ આ રાસોત્સવમાં ભાગ લીધો હતો. જગત જનની મા ઉમિયાની શક્તિ ઉપાસનાનું નોરતું એટલે આઠમ અને નોમ. આ બંને દિવસે UV Club અમદાવાદ દ્વારા રાસોત્સવનું આયોજન કરાયું હતું. આ બે દિવસીય રાસોત્સવમાં બંને દિવસે લગભગ 5 -5 હજાર ખેલૈયાઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં વસતાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના પરિવારોને ફ્રી પાસ અપાયા હતા.અને આ સમગ્ર કાર્યક્રમ ખુબ જ શ્રેષ્ઠ રીતે સફળ થયો હતો. UV Club અમદાવાદનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનોરંજનથી એકતા અને એકતાથી સમૃદ્ધિ. સમાજના યુવાનો મનોરંજનના માધ્યમથી સમાજ સાથે જોડાય અને આવનાર સમયમાં કડવા પાટીદાર સમાજની પરંપરાઓને સદીઓ સુધી જાળવી રાખે તે જ છે.
UV Club અમદાવાદની મેનેજમેન્ટ ટીમના જણાવ્યા અનુસાર બે દિવસીય રાસોત્સવમાં 108 મેનેજમેન્ટ ટીમના લગભગ 200થી વધુ યુવાનોએ સેવા આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમની શોભા વધારવા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ તેમજ સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુરતિયા અને ઉપપ્રમુખ નટુભાઈ પટેલ એવમ્ અમદાવાદના ડેપ્યુટી કમિશનર રમેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસીય રાસોત્સવથી સમાજના યુવાનો સંગઠિત થશે અને સંગઠન મજબૂત બનશે
વડોદરા: શહેરના ગોરવા વિસ્તારમાં સંબંધોને શરમાવે તેવી ચોરીની ઘટના સામે આવી છે. પતિ સાથે અણબનાવ થતાં કાકાના ઘરે રહેવા આવેલી ભત્રીજીએ જ ઘરની તિજોરીમાંથી લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા. કાકાના પરિવારે તેને પોતાની દીકરીની જેમ રાખી હતી, પરંતુ યુવતીએ પ્રેમ સંબંધ અને મોજશોખ માટે ઘરમાં રાખેલા દાગીના...
કુખ્યાત આરોપી ભાવેશ ઝીલિયા સામે સરખેજ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. સરખેજ પોલીસે ભાવેશ ઝીલિયા સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને તેને ભુજની જેલમાં મોકલી દીધો છે. ભાવેશ ઝીલિયા વિરુદ્ધ પોલીસ ચોપડે 15થી વધુ ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. સરખેજમાં નોંધાયેલા ગુનાને લઈને પોલીસે તેની સામે પાસાની કાર્યવાહી...
સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના લીમલા ગામ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સ્વિફ્ટ કારની પાછળની સીટમાંથી બેંક મેનેજર ભરત ચૌધરીની લોહીલુહાણ લાશ મળી આવી છે. તેઓ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના બાલવા ગામના વતની અને IIFL ફાઇનાન્સ બેંકમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, ભરતભાઈ (ઉંમર 42)ની ગળાના...