નવરાત્રિ એટલે જગત જનની મા ઉમિયાની આરધનાનું પર્વ. અને એટલે જ વર્ષ 2022ની નવરાત્રિમાં UV Club અમદાવાદ ( ધ ક્લબ ઓફ ઉમાવંશી અમદાવાદ) દ્વારા ઓગણજ નજીક આવેલા 9 બ્રધર્સ ગ્રાઉન્ડમાં બે દિવસીય રાસોત્સવનું આયોજન કરાયું હતું.
આ બે દિવસીય રાસોત્સવમાં સૌરાષ્ટ્રથી આવી અને અમદાવાદમાં ધંધા અને નોકરી અર્થે વસેલા કડવા પાટીદાર સમાજના 12 હજારથી વધુ પરિવારોએ આ રાસોત્સવમાં ભાગ લીધો હતો. જગત જનની મા ઉમિયાની શક્તિ ઉપાસનાનું નોરતું એટલે આઠમ અને નોમ. આ બંને દિવસે UV Club અમદાવાદ દ્વારા રાસોત્સવનું આયોજન કરાયું હતું. આ બે દિવસીય રાસોત્સવમાં બંને દિવસે લગભગ 5 -5 હજાર ખેલૈયાઓએ ભાગ લીધો હતો. અમદાવાદમાં વસતાં સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજના પરિવારોને ફ્રી પાસ અપાયા હતા.અને આ સમગ્ર કાર્યક્રમ ખુબ જ શ્રેષ્ઠ રીતે સફળ થયો હતો. UV Club અમદાવાદનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનોરંજનથી એકતા અને એકતાથી સમૃદ્ધિ. સમાજના યુવાનો મનોરંજનના માધ્યમથી સમાજ સાથે જોડાય અને આવનાર સમયમાં કડવા પાટીદાર સમાજની પરંપરાઓને સદીઓ સુધી જાળવી રાખે તે જ છે.
UV Club અમદાવાદની મેનેજમેન્ટ ટીમના જણાવ્યા અનુસાર બે દિવસીય રાસોત્સવમાં 108 મેનેજમેન્ટ ટીમના લગભગ 200થી વધુ યુવાનોએ સેવા આપી હતી. આ ઉપરાંત કાર્યક્રમની શોભા વધારવા વિશ્વઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલ તેમજ સરદારધામના પ્રમુખ ગગજીભાઈ સુરતિયા અને ઉપપ્રમુખ નટુભાઈ પટેલ એવમ્ અમદાવાદના ડેપ્યુટી કમિશનર રમેશભાઈ મેરજા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બે દિવસીય રાસોત્સવથી સમાજના યુવાનો સંગઠિત થશે અને સંગઠન મજબૂત બનશે
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસોની નવી આગાહી જાહેર કરી છે. તેમના જણાવ્યા મુજબ આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટવાની શક્યતા છે, જોકે કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. સાથે જ જુલાઈના મધ્યભાગમાં બંગાળની ખાડીમાં નવી હવામાન...
સુરત શહેરમાં સતત વરસી રહેલા વરસાદ વચ્ચે દુર્ઘટનાઓનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી. ગઈકાલે રાંદેર વિસ્તારમાં વીજ કરંટ લાગવાથી બે લોકોના મોતની ઘટના હજુ તાજી છે, ત્યારે આજે પાલી વિસ્તારમાં વધુ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વરસાદી પાણીથી ભરાયેલા ખુલ્લા ખાડામાં ડૂબી જવાથી બે માસૂમ બાળકોના કરુણ મોત...