મોરબી: મોરબીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે અને ચોરીની એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે. જાણે એવુ લાગી રહ્યુ છે કે તસ્કરોને પોલીસનો કોઈ ડર જ ન હોય. ઘરફોડ ચોરી અને વાહન ચોરી બાદ હવે એસી કમ્પ્રેશરની ચોરી કરતી ટોળકી સક્રિય બની છે . ત્યારે માધવ માર્કેટમાં ૪ એસી કમ્પ્રેશરની ચોરીની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
મોરબી શહેરના જુના ઘૂટું રોડ પર થોડા દિવસો પહેલા અનેક ઓફીસના એસી કમ્પ્રેશરની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે હવે તસ્કરોએ શહેરના શનાળા રોડ પરની માધવ માર્કેટને નિશાન બનાવી હતી અને માધવ માર્કેટમાંથી ઓફીસના ૪ એસી કમ્પ્રેશરની ચોરી કરી તસ્કરો નાશી છુટયા હતા.મોરબીનો શનાળા રોડ શહેરનો મુખ્ય માર્ગ ગણાય છે જ્યાં શોપિંગને નિશાના બનાવીને જાણે કે તસ્કરો દ્વારા પોલીસને ખુલ્લો પડકાર ફેંકવામાં આવી રહ્યો હોય તેવો ઘાટ મોરબીમાં જોવા મળી રહ્યો છે. ત્યારે સીસીટીવી કેમેરાની મદદથી ચોરી ગયેલ એસી કમ્પ્રેશર ચોરને પોલીસ પકડવામાં સફળ થશે કે નહીં તે જોવું રહ્યું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...