અમેરિકા-કેનેડા સહિત વિશ્વના કોઈ પણ ખૂણે ઉમા સ્વાદમ્ નો પ્રસાદ મળશે
જગત જનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાના ભાગરૂપે વિશ્વ ઉમિયાધામમાં નિર્માણાધીન મંદિર દરેક સમાજના લોકો મા ઉમિયાની પ્રસાદી રૂપે મીઠાઈ તેમજ નમકીનની ખરીદી કરીને સહભાગી થઈ શકે, તે અંતર્ગત વિશ્વઉમિયાધામ દ્વારા ‘ઉમા સ્વાદમ્’ મીઠાઈ અને નમકીનનું વેચાણ-વિતરણનો શુભારંભ થયો છે. ‘ઉમા સ્વાદમ્’ વિશ્વઉમિયાધામ દ્વારા ગૌ માતાના શુદ્ધ ઘીમાંથી મીઠાઈ અને નમકીનના રૂપે બનાવવામાં આવતો મા ઉમિયાનો પ્રસાદ છે. જે સંસ્થાના ઉમાસેવકોની સીધી દેખરેખ હેઠળ ગુણવતા તથા શુદ્ધતાનું વિશેષ ધ્યાન રાખી બનાવવામાં આવે છે. જેનો શુભારંભ સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય જીગ્નેશ દાદાના વરદ્ હસ્તે તથા વિશ્વઉમિયાધામના પ્રણેતા અને પ્રમુખ આર.પી. પટેલ સાહેબ તેમજ દાતાશ્રીઓ અને ટ્રસ્ટીઓની ઉપસ્થિતિમાં શરદપૂર્ણિમાના શુભદિને થયો છે.
ઉમા સ્વાદમ્ વિશે વાત કરતાં સંસ્થા પ્રમુખ આર.પી. પટેલ જણાવે છે કે ઉમા સ્વાદમ્ પાટીદાર સહિત તમામ સમાજના 1 લાખથી વધુ ઘર સુધી પહોંચશે. જગત જનની મા ઉમિયાના પ્રસાદ સ્વરૂપે ઉમા સ્વાદમ્ ન માત્ર ભારતમાં પરંતુ અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને બ્રિટન સહિત વિશ્વના કોઈ પણ ખુણા સુધી પહોંચશે. અમેરિકા હોય કે ઓસ્ટ્રેલિયા વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલો પરિવાર વિશ્વઉમિયાધામ ખાતે મા ઉમિયાનો પ્રસાદ નોંધણી કરાવી પોતાના ઘરે મેળવી શકે છે. હાલમાં ઉમા સ્વાદં સ્ટોરનું સ્થળ ફ્લોકેમ હાઉસ, શુકન મોલની બાજુમાં, સાયન્સ સીટી રોડ, સોલા, અમદાવાદ છે.
અમદાવાદ: ગુજરાત અત્યારે કાળઝાળ ગરમીની ચપેટમાં છે, જેમાં રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર, સુરેન્દ્રનગર 43.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે. અમદાવાદમાં પણ વધતી ગરમીને જોતા 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જોકે, આ...
ગાંધીનગર: ગાંધીનગરમાં યોજાયેલી એવિએશન સમિટ માં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. તેમણે જણાવ્યું છે કે, આ ગોઝારી દુર્ઘટનાની તપાસ આગામી એક મહિનામાં પૂર્ણ થશે અને તપાસ રિપોર્ટ જાહેર કરવામાં આવશે. 242 લોકોના જીવ લેનારી આ દુર્ઘટનાની તપાસ પારદર્શિતાથી થઈ રહી...
GSEB Result 2026: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષાના લાખો વિદ્યાર્થીઓની પ્રતીક્ષાનો અંત આવ્યો છે. બોર્ડ દ્વારા સત્તાવાર રીતે પરિણામની તારીખોની જાહેરાત કરવામાં આવી છે.
ક્યારે જાહેર થશે પરિણામ?
4 મે, 2026: ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ (Science), સામાન્ય પ્રવાહ (Commerce/Arts),...