મોરબી: મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ફીનીકસ સિરામિક કારખાને ટ્રકે બાઇકને અડફેટે લેતા બાઈક સવાર સહીત પાછળ બેઠેલ બે મહીલા મળી ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. આ બનાવ અંગે ભોગ બનનારે આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના જાંબુડીયા ગામની સીમમાં આવેલ ફીનીકસ સિરામિક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા મહેશભાઇ સેકુભાઈ પરમાર (ઉ.વ.૩૩) એ આરોપી ટ્રક કન્ટેનર નં -GJ-12-BX-4200 વાળા ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૨-૧૦-૨૦૨૨ ના રોજ સવારના આઠેક વાગ્યાના અરસામાં આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક કન્ટેનર નંબર- GJ-12 -BX- 4200 વાળો આગળ પાછળ સાઇડમા જોયા વગર ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના હિરો સીડી ડીલક્ષ મોટરસાયકલ ચેસીસ નં. MBLHA7159J4H16606 વાળાને ફરીયાદી તથા તેની પાછળ બેઠેલ બન્ને સાહેદ સહીત ત્રણેયને હડફેટે લઇ સાહેદ સવિતાબેનને કમરના ભાગે તથા બન્ને ગોળાના ભાગે ફ્રેક્ચર જેવી ઇજા કરી તથા પુજાબેનને ડાબા હાથમા ઇજા પહોંચાડી હોવાની ભોગ બનનાર મહેશભાઈએ આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...