મોરબી: અત્યાર સુધીના ૧૫ કેમ્પમાં કુલ ૪૪૫૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું. સમગ્ર ગુજરાતની નંબર ૧ આંખની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૧૧-૨૦૨૨ શુક્રવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો.
જેમા ૨૪૦ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૨૬ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામા આવશે. રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો. બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવશે. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામા આવી રહી છે.
પ્રવર્તમાન માસનો કેમ્પ મોરબી સ્વ.જયંતિલાલ અમરશીભાઈ રાચ્છ પરિવારના સહયોગથી યોજવામા આવેલ હતો.
ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૪ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પમા કુલ ૪૨૧૩ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૧૮૬૬ લોકોના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવામા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પમા કુલ ૨૪૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૨૬ લોકોના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન આવતીકાલે કરવામાં આવશે.
કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, નરેન્દ્રભાઈ પાંવ, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. દર મહીનાની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમા તપાસ માટે દર્દીનુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદીમા જણાવ્યુ છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેના વર્તમાન સંઘર્ષ (જેમાં ઇઝરાયલ પણ સામેલ છે) ની ભારત પર અસરો વિશે વાત કરીએ તો, આ તાજેતરની ઘટનાઓ (ફેબ્રુઆરી 2026માં શરૂ થયેલી) છે જેમાં અમેરિકા-ઇઝરાયલના હુમલા અને ઈરાનના પલટવાર છે. આ સંઘર્ષ હજુ પૂર્ણ યુદ્ધના સ્વરૂપમાં નથી, પરંતુ તેની અસરો ભારત પર પડી રહી...
"વિદ્યાર્થીઓનું પરિણામ અને સર્વાંગી વિકાસ અંગે ચિંતા અને ચિંતન"નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, પાટણ સંચાલિત પી.પી.જી. એક્સપેરિમેન્ટલ હાઇસ્કુલ અને શ્રી વી.આર.પટેલ ઉ.મા. શાળા પાટણ ખાતે ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક પ્રગતિના હેતુથી એક વિશેષ વાલી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગનો મુખ્ય સૂર 'શાળા,...
સત્યનો સંગ્રામ : કિશન વેકરીયા
ભારતનું 'સુપર પાવર' બનવાનું સપનું કે રોબોટિક કટાક્ષ?
ભારત સરકાર જ્યારે 'આત્મનિર્ભર ભારત' અને 'એઆઈ સુપર પાવર' જેવા ગગનચુંબી શબ્દોનો પ્રયોગ કરે છે, ત્યારે સામાન્ય નાગરિકની છાતી ગજગજ ફૂલે છે. પણ જ્યારે ‘ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ 2026’ જેવી વૈશ્વિક ઈવેન્ટમાં ગલગોટિયા યુનિવર્સિટી જેવા 'નવતર પ્રયોગો' સામે...