મોરબી: મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત લોકોને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ અંજારથી મોરબી મંડપ સર્વિસના કામ અર્થ વાવડી ગામે આવેલા અને મંડપ સર્વિસનું કામ પુરૂ કરી વાવડી ગામથી પરત અંજાર તરફ જતા હતા ત્યારે મોરબીના ગાળા ગામના પાટીયા નજીક બોલેરો કારનું ટાયર ફાટતાં કાર પલટી મારી જતાં આઠથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનામાં ઈજાગ્રસ્ત ઈશ્વર બુધા નાયક ઉ.વ.૧૯, અંધિન રંગીન બારીયા, કાળું નાયક ઉ.વ.૨૦, રાજેશ છત્રક બારીયા ઉ.વ.૨૪, રમેશ ડામોર ઉ.વ.૩૦, વિક્રમ રંગીત બારીયા ઉ.વ.૨૭, દિલીપ ડામોર ઉ.વ.૩૦ સહિત અન્ય બે વ્યક્તિઓને સારવાર અર્થે તાત્કાલિક મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે તેમજ હાલ મળતી માહિતી મુજબ ત્રણ લોકોને વધું સારવાર અર્થે મોરબી પ્રાઈવેટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે.
મોરબી તાલુકાના રંગપર ગામના બસ સ્ટેન્ડ સામે લીઝાર્ટ સીરામીકની બાજુમાંથી આઇ-૧૦ કારમાથી વિદેશી દારૂની ૦૩ બોટલ જેની કિંમત રૂપિયા ૩૯૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૫,૦૩,૯૦૦ નાં મુદામાલ સાથે આરોપીને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન આરોપીએ પોતાના કબ્જા ભોગવટા...
મોરબીના કંડલા બાયપાસ પાસે મચ્છુ -૦૩ ડેમમાં પાણીમાં ફૂલ પધરાવવા જતા પડી ગયેલ દીલીપકુમાર નારણભાઈ ચુડાસમા (ઉ.વ.૪૮) નામના આધેડનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબી પાંજરાપોળની વિશાળ જગ્યામાં જોધપર ગામ નજીક સદભાવના વૃદ્ધાશ્રમ ટ્રસ્ટ અને વન વિભાગના સહયોગથી "નમો વન" બનાવવામાં આવી રહ્યું છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરના રોજ મોરબી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વડાપ્રધાને વર્ચ્યુલી અર્પણ કરવામાં આવશે.
આગામી 17, સપ્ટેમ્બર 2025 ને બુધવાર ના રોજભારત વર્ષના...