
બીજી તરફ મોરબી નગરપાલિકાના સદસ્ય ભાવિકભાઈ જારીયા દ્વારા બહુમત સભ્યોની સહી અને સોગંદનામા સાથે પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સહીત છ સભ્યોના જવાબથી અલગથી જવાબ રજૂ કરતા જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ એકટ ૬૫-૨ મુજબ ૧૦ લાખથી વધુની પ્રોપર્ટી સાધારણ સભા અને સરકારની મંજૂરીથી જ હોવુ જોઈએ પરંતુ ઝૂલતા પુલ પ્રકરણમાં આ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. વધુમાં નગરપાલિકા અને ઓરેવા કંપની વચ્ચે થયેલા ઠરાવ અંગે મોટાભાગના સદસ્યો અજાણ હોવાનું અને આ બાબતે કોઈપણ પ્રકારની જાણકારી તેમની પાસે ન હોવાનો અલગ જવાબ રજૂ કરવામાં આવતા મોરબી નગરપાલિકામાં ચાલી રહેલો આંતરીક ખટરાગ ઉડીને આંખે વળગવાની સાથે સરકાર સુધી પહોંચી ગયો છે.