મોરબી:સુરતના ચીટરોએ મોરબીમાં વેપારી પેઢી ખોલી 30થી વધુ વેપારીઓને લાખોનો ચૂનો ચોપડી ફરાર થઈ ગયા હતા.
ોમોરબીના અલગ અલગ વેપારીઓ પાસેથી માલ સમાન ખરીદી કરી તેમને ચેક આપ્યા હતા. આ ચેકો બાઉન્સ થતાં વેપારીએ તપાસ હાથ ધરતા ચિટરો પેઢીને તાળું મારી રફુ ચક્કર થઈ ગયા હતા.
આ બાબતે વેપારીઓએ તાલુકા પોલીસ સ્ટેશનને લેખીતમાં અરજી આપતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હોવાનું કહેવાય છે આ ચીટર ટોળકી એ અન્ય વધુ વેપારીઓને પણ લપેટામાં લીધા છે અને છેતરપિંડીની રકમ કરોડોમાં થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
મોરબીના જેતપર રોડ પર વિનાયક ટ્રેડિંગ નામની પેઢી ઊભી કરી સુરતના અશોક પટેલ અને કરણ રાઠોડ નામના શખ્સોએ વિવિધ વેપારીઓ પાસેથી માલની ખરીદી શરૂ કરી હતી પેઢીનું જીએસટી નંબર કરણ રાઠોડના નામનું હતું બંને ઠગ લોકોએ હાર્ડવેર સિમેન્ટ પ્રોડક્ટસ મસાલા બેટરી ઇલેક્ટ્રોનિક્સ વજન કાંટા સહિતની અનેક વસ્તુઓ અલગ અલગ વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની ખરીદી કરી હતી અને બદલામાં દરેક વેપારીઓને ચેક આપ્યા હતા બાદમાં વેપારીઓએ પેમેન્ટ માટે આ ઠગોને ફોન કરતા ફોન બંધ આવતા પેઢીની દુકાને પહોંચ્યા હતા ત્યાં ઠગ લોકો પેઢીને તાળા મારી રફુ ચક્કર થઈ ગયા હતા માલ આપેલ વેપારીઓને પોતે છેતરાયાનો અહેસાસ થયો હતો દરમિયાન આપેલા ચેકો પણ ધડાધડ બાઉન્સ થતા વેપારીઓ મૂંઝાયા હતા છેતરપિંડીનો ભોગ બનનારા 30થી વધુ વેપારીએ મોરબીના તાલુકા પોલીસ દફતરે છેતરપિંડી થઈ હોવા અંગે એક લેખિત અરજી આપી છે
કહેવાય રહ્યું છે કે અન્ય વેપારીઓ પણ આ ઠગ લોકોના લપેટમાં આવી ગયા છે જેની રકમ પણ કરોડોમાં થવા જાય છે તાલુકા પોલીસ અરજી અનુસંધાને તપાસ કરી એફઆઇઆર નોંધી વેપારીઓની ડૂબેલી રકમ પરત અપાવશે કે રાબેતા મુજબ અરજી મુજબ કાર્યવાહી કરી માત્ર આત્મસંતોષ માની લેશે એ આવનારા દિવસોમાં ખબર પડી રહેશે
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...