Friday, June 20, 2025

મોરબી: ટંકારા પંથકમાં પિતાની હત્યા કરનાર કપાતર પુત્ર ઝડપાયો ! નાણાની લેતીદેતી મામલે કરાઈ હત્યા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: મોરબી જીલ્લામાં છેલ્લા મહિનાઓમાં ઘણા સમાજ માટે લાલબતી સમાન કહી શકાય તેવા બનાવો સામે આવ્યા છે તેની સહી હજુ સુકાઈ નથી ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામ આવેલ વાડીની બાજુમાં જમીનમાંદાટીદેવામાં આવેલ પુરુષનીલાશને જનવારોએ બહાર કાઢીને ફાડી ખાધેલ હાલતમાં મળી આવી હતી જેની તપાસમાં મૃતક વ્યક્તિ હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરા (62) હોવાનું સામે આવ્યું હતું જેથી પોલીસે તેની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવતા મૃતકને માથામાંધારદારબોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને મૃતક વ્યક્તિ જેની વાડીએ કામ કરતો હતો તે વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ નથુભાઈ રાણીપા જાતે પટેલ (૫૦)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરલે છે અને આ ગુનામાં મૃતકના દીકરા પપ્પુહીરાભાઈ ડાવરાએ જ હત્યા કરી હોવાની સામે આવતા ટંકારા પોલીસે તેની ધરપકડ કરેલ છે.

ટંકારના વાઘગઢ ગામે જે હત્યા કરવામાં આવી તેમાં પકડાયેલા આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું છે જેમાં પોલીસે જણાવ્યુ છે કે, આરોપી પપ્પુ તેના લગ્ન માટે રૂપિયા જમા કરતો હતો તે રૂપિયા તેના પિતા હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરાએ બીજાને આપી દીધા હતા જે બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થયેલ હતી ત્યારે આરોપીને તેના પિતાના લાકડી વડે માર માર્યો હતો જેથી ઉશ્કેરાટમાં આવીને તેના પિતાને માથામાં કુહાડીનો એક ઘા મારી દીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને કોઈને ખબર ન પડે તે માટે તેને પોતાના પિતાની લાશને ખાડો ખોદીને વાડીની બાજુમાં આવેલ વોંકળામાં દાટી દીધી હતી જો કે,જનાવરે મૃત વ્યક્તિના શરીરને બહાર કાઢીને ફાડી ખાતા હત્યાનો મામલો સામે આવ્યો હતો.

રૂપિયાના લીધે ઘણા પરિવારો બરબાદ થયા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી ત્યારે આ કિસ્સામાં પણ દીકરાએ લગ્ન માટે એકત્રિત કરેલા રૂપિયા તેના પિતાએ બીજાને આપી દીધા હાટ જે બાબતનો ખાર રાખીને તેના પિતાની યુવાને રૂપિયાના ઝઘડામાં હત્યા કરી નાખેલ છે જેથી કરીને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે અને ઘરના મોભીની હત્યા થઈ ગયેલ હોવાથી આ પરિવારનો માળો વેરવિખેર થઈ ગયો છે

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર