Thursday, June 19, 2025

હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી) દ્વારા વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરાઇ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી: આજે ૨૫ એપ્રિલ એટલે કે વિશ્વ મેલેરિયા દિવસ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કવિતાબેન દવે, જિલ્લા મેલેરિયા અધિકારી ડો. ડી.વી. બાવરવાની સૂચના અને પ્રા.આ.કે. લાલપર ના મેડિકલ ઓફિસર ડો. રાધિકાબેન વડાવિયા, સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ અને અંજનાબેન જોશીના માર્ગદર્શન અનુસાર હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જોધપર(નદી)ના સ્ટાફ દિલીપભાઈ દલસાણીયા, મકસુદભાઈ સૈયદ, સાહિસ્તાબેન દેકાવાડીયા દ્વારા રફાળેશ્વર પ્રાથમિક શાળાના બાળકો તેમજ ગ્રામજનોને પ્રોજેક્ટર થકી મેલેરિયા નિર્મૂલન માટે શુ શુ કરવું અને શુ શુ ના કરવું એ બાબતે પોરા નિદર્શન કરાવીને માહિતી આપવામાં આવી હતી.

તેમજ મેલેરિયા અટકાયત માટે રેલીનું આયોજન કરીને લોકોને વિસ્તૃત માહિતી આપવામા આવી કાર્યક્રમને સફળ બનાવવા શ્રી રફાળેશ્વર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ વિશ્વનાથ ગુપ્તા, ચિંતનભાઈ પંડ્યા અને મયુરભાઈ રામાવતએ મદદ કરી હતી. 

મેલેરિયા બાબતે યોગ્ય સંદેશ:

” મેલેરીયા મુક્તિના લક્ષ્ય સુધી પહોંચીએ”

૧. મેલેરિયા માદા એનોફીલીસ મચ્છર દ્વારા ફેલાય છે જે મચ્છર ચોખ્ખા અને બંધિયાર પાણીમાં જ ઈંડા મૂકે છે.

૨. મેલેરિયાના મચ્છર સાંજે તથા રાત્રે વધારે સક્રિય હોય છે.

૩. મેલેરીયા રોગથી બચવા માટે લાંબી બાયના કપડાં પહેરો.

૪. ઘરમાં રહેલા પાણીના પાત્રોને હવાચુસ્ત રીતે ઢાંકીને રાખો તેમજ તેની નિયમિત સફાઇ કરો.

૫. નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો.

૬. મેલેરિયાથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ તેમજ સાંજના સમયે ઘરમાં લીમડાનો ધુમાડો અને મચ્છર વિરોધી ક્રીમનો ઉપયોગ કરો.

૭.સરકારી દવાખાનામાં મેલેરિયાનું નિદાન વિનામૂલ્યે ઉપલબ્ધ છે.

૮. તો આવો સૌ સાથે મળી ૨૦૨૪ સુધીમાં ગુજરાતને મેલેરીયા મુક્ત બનાવીએ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર