મોરબી: મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા (રંગપર) ગામે રહેતા હિતેષભાઇ તેજાભાઇ મકવાણા (ઉ.વ.૨૬) ગત તા.૧૮-૦૫-૨૦૨૩ ના રોજ કોઇપણ વખતે કોઇપણ કારણોસર પોતાના ઘરે ગળાફાંસો જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
