મોરબી: સૌ પ્રથમ કારોબારીની શરૂઆત જિલ્લાના મહામંત્રી કિરણભાઈ કાચરોલા દ્વારા જિલ્લાના કાર્યકર્તાઓ અને દરેક તાલુકામાંથી આવેલા કાર્યકર્તાઓનું અભિવાદન કરવામાં આવ્યું. ત્યારબાદ હિતેશભાઈ ગોપાણી દ્વારા સંગઠન મંત્ર સાથે કારોબારી શરૂ થઈ. ત્યારબાદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા દ્વારા શિક્ષક સમાજને સ્પર્શતા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવા માં આવી જેમ કે સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે 1 જુલાઈથી દરેક કાર્યકર્તાઓને દરેક શિક્ષકો સુધી પહોંચી સદસ્યતા અભિયાનમાં શિક્ષકોને જોડી સંગઠનના સભ્યો બનાવવા, ત્યારબાદ દરેક તાલુકામાં ગુરુપૂર્ણિમા અંતર્ગત ગુરુ વંદના કાર્યક્રમ ગોઠવવો અને ગુરુ વંદના કાર્યક્રમમાં વધુમાં વધુ શિક્ષકોને જોડવા તેની ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ શિક્ષકોનો પ્રાણ પ્રશ્ન જૂની પેન્શન યોજના, જીપીએફ ખાતા ટ્રાન્સફર કરવા, શિક્ષણની ગુણવત્તા સુધારવા દરેક શિક્ષકો ભૂમિકા શું છે? તેની ઝાંખી આપી અને આવનારા સમયમાં સંગઠન દ્વારા શિક્ષકોના પ્રશ્નો ને હલ કરવા માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કટિબંધ છે એવી ખાત્રી આપી
ત્યારબાદ મોરબી જિલ્લાના સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી દ્વારા સમાજમાં એક કાર્યકર્તા તરીકે આપણી શુ ભૂમિકા છે ?, આપણું શું કાર્ય છે ? તેની જીણવટ ભરી અને સચોટ માહિતી આપી. આવનારા સમયમાં મહાસંઘ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમ,કર્તવ્ય બોધ દિવસ અને બીજા આવનારા કાર્યક્રમમાં શિક્ષકોને જોડી સમાજને આગળ વધારવા માટે શિક્ષકોની શું ભૂમિકા છે તેની માહિતી આપી.
દરેક તાલુકાના કાર્યકર્તાઓએ પોતાના અલગ અલગ પ્રશ્નોની રજૂઆત કરી અને તેને ઉકેલવા માટે ગહન ચર્ચા કરવામાં આવી.
ત્યારબાદ કારોબારીની બેઠકને અંતે નિરવભાઈ બાવરવા જિલ્લા સહપ્રચાર મંત્રી દ્વારા કલ્યાણ મંત્ર કરી અને ત્યાં ઉપસ્થિત સંગઠનના દેવ દુર્લભ કાર્યકરો એ હળવો નાસ્તો કરી બેઠક ને પૂર્ણ કરવામાં આવી. એમ જિલ્લા સહ પ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવાની યાદીમાં જણાવવામાં આવે છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...