મોરબી: મોરબી જિલ્લામાંથી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ માધ્યમો સંકળાયેલા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો વિડિયો કોન્ફરન્સિંગમાં જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી પર વિસ્તૃત માહિતી મેળવી હતી.
તેમણે જણાવ્યું કે દેશી ગાયના એક ગ્રામ ગોબરમાં ૩૦૦ કરોડ જીવાણું હોય છે. આવી ગાયના ગોબર અને ગોમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતીના કારણે પ્રથમ વર્ષથી જ પૂરેપૂરું ઉત્પાદન મળે છે. એટલું જ નહીં, ખેડૂતોનો ખર્ચ પણ શૂન્ય થવાથી તેમની આવક બમણી કરવાનું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન પણ સિદ્ધ કરી શકાશે. આ માટે તેમણે અળસિયા આધારિત કુદરતી ખાતર બનાવવાની વિધિ, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન વિશે પણ વિગતવાર સમજણ આપી હતી.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતી અપનાવનારા ખેડૂતોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ વિશે વિગતો આપતાં રાજ્યપાલએ જણાવ્યું કે છેલ્લાં ચાર વર્ષ દરમિયાન રાજ્યમાં ૭.૧૩ લાખ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવી છે, જ્યારે માત્ર છેલ્લા ત્રણ માસમાં ૧૦.૩૯ લાખ ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આઝાદીનાં ૭૫ વર્ષના અનુસંધાને આયોજિત ખેડૂત સંમેલનમાં વડાપ્રધાનએ દેશની પ્રત્યેક ગ્રામ પંચાયતમાં ઓછામા ઓછા ૭૫ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા આહ્વાન કર્યું હતું. પરિણામ સ્વરૂપ, આજે ગુજરાતની ૫૨૩૩ ગ્રામ પંચાયતોમાં ૭૫ કે તેથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે. જેમાં બીજી ૩૬૭૯ જેટલી પંચાયતો આગામી એકાદ માસમાં ઉમેરો થવાની સંભાવના દર્શાવી હતી.
રાજ્યપાલએ કહ્યું કે આ એક સામૂહિક પ્રયાસ છે. ત્યારે નવજાગરણના આ કામમાં જોડાઈને રાજ્યના ખેડૂતોમાં તેમજ સામાન્ય નાગરિકોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ પ્રસારિત કરવા વિવિધ માધ્યમોના પ્રતિનિધિઓને અપીલ કરી હતી.
આ કાર્યક્રમમાં રાજ્યપાલના અગ્રસચિવ રાજેશ માંજુ, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, માહિતી નિયામક ધીરજ પારેખ, આત્મા પ્રોજેક્ટના ખાસ ફરજ પરના અધિકારી દિનેશ પટેલ તેમજ વિવિધ પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક તથા રેડિયો અને સરકારી માધ્યમોના તંત્રીઓ, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે વિવિધ જિલ્લાઓમાંથી પણ બહોળી સંખ્યામાં પત્રકારો વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. જે અન્વયે મોરબી જિલ્લામાંથી જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાના વિવિધ માધ્યમો સાથે જોડાયેલા પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારઓ વિડિયો કોન્ફરન્સિંગમાં જોડાયા હતા અને પ્રાકૃતિક ખેતી પર વિસ્તૃત માહિતી મેળવી હતી.
મોરબી તથા જામનગર જિલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ૧૬ વર્ષથી નાસતા ફરતા આરોપીને દ્વારકા જિલ્લા ખાતે મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફની ટીમે ઝડપી પાડયો છે.
મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્ટાફને સંયુક્તમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, મોરબી જીલ્લાના તથા જામનગર જીલ્લાના અલગ અલગ ત્રણ ઘરફોડ ચોરીના...
હળવદના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના સરકારની અલગ અલગ જમીનનુ રેવેન્યુ રેકર્ડ ખોટુ બનાવી જમીન કૌભાંડ કર્યું હતું જે જમીન કૌભાંડના મુખ્ય આરોપીને હળવદ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
હળવદ પોલીસ સ્ટેશનમાં હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે નાઓ દ્રારા અલગ અલગ કુલ-૯ આરોપીઓ વિરુધ્ધ હળવદ તાલુકાના કોયબા, ધનશ્યામપુર, સુંદરીભવાની ગામના...