મોરબી:વતનની ધૂળથી માથું ભરી લઈએ આદિલ,ફરી આ ધૂળ ઉમ્રભર મળે ન મળે લોકો ગમે ત્યાં જાય,ગમે તેવા મોટા માણસ બની જાય પણ વતન પ્રેમ તો દરેકના દિલો દિમાગમાં શાસ્વત રહે છે અને વતન માટે કંઈક ને કંઈક કરવાની ઝંખના હોય છે ત્યારે
માણેકવાડા ગામની ભૂમિમાં જેમને બાળપણ વિતાવ્યું છે માણેકવાડાની માટી ખુંદીને મોટા થયા છે અને હાલ પીજીવીસીએલમાં ફરજ બજાવતા જીજ્ઞેશભાઈ દેત્રોજા અને વર્ષોથી બી.આર.સી.ભવન સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત દિવ્યાંગ બાળકોને સહાનુભૂતિ નહિ પણ સ્વીકૃતિ આપવા માટે સતત કાર્યરત,દિવ્યાંગોને સરકારી લાભો પ્રાપ્ત થાય એ માટે સતત જહેમત ઉઠાવતા બી.આર.પી. તરીકે ફરજ બજાવતા શિલ્પાબેન ભટાસણા બંને દંપતી તરફથી માણેકવાડા પ્રાથમિક શાળાઓના ભૂલકાઓને સ્કૂલ બેગ અને લંચ બોક્ષનું વિતરણ કરાયું હતું.આ તકે શાળા પરિવાર તરફથી બંને દાતાઓનો આભાર પ્રકટ કરવામાં આવ્યો હતો.
વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવવામાં આવે છે ત્યારે મોરબીના સબરજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રત માં મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો.
આ તકે સબ રજીસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત...
હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા યુવકને પિતાએ કામ ધંધા બાબતે ઠપકો આપતાં મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયસંગપર ગામે રહેતા અજયભાઈ માનસંગભાઈ સોઢા (ઉ.વ.૩૪) નામનો યુવક કોઈ કામ ધંધો કરતો ન હોય જેથી તેના પિતાએ તેને કામ ધંધો કરવાનું કહેલ...