મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા (૧) નક્ષત્ર હોસ્પિટલ (૨) વેદાંત હોસ્પિટલ (૩) મંગલમ હોસ્પિટલ (૪) રાધે ક્રિષ્ના હોસ્પિટલ JR (૫) મધુરમ ઓર્થોપેડિક ૬) શ્યામ હોસ્પિટલ (૭) સ્નેહ બાળકોની હોસ્પિટલ (૮) અમૃતમ હોસ્પિટલ (૯) સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ (૧૦) જીવન જ્યોત હોસ્પિટલ (૧૧) સાગર હોસ્પિટલ (૧૨) ન્યુટેક લેબોટરી એન્ડ સોમીયા સ્કીન ક્લિનિક ખાતે હોસ્પીટલમાં ડોક્ટર્સ અને મેડીકલ સ્ટાફ ને ફાયર ટ્રેનિંગ અને ડેમોન્સટ્રેશન આપવામાં આવી.
જેમાં હોસ્પિટલ ઈમારતોમાં આગ કેવી રીતે લાગે છે?, આગના પ્રકારો, અગ્નિશામકની રીતો, આપાતકાલીન પ્રક્રિયાઓ, આગ ક્યારે લાગે છે?, આગ નિવારણનાં પગલાં, જીવન સલામતીનાં પગલાં, અગ્નિ સલામતીનાં પગલાં, હોસ્પીટલમાં ફાયરના સાધનોની જરૂરિયાતો, આગ કટોકટી દરમિયાન શું કરવું અને શું ન કરવું જેવા વિષયો અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. તેમજ ફિક્સ ફાયર ઈંસ્ટોલેશન ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ શિખવાડવામાં આવ્યું હતું ત્યારબાદ અગ્નિશામક યંત્ર (Fire extinguisher) અને ફિક્ષ ફાયરના સાધનોના ઉપયોગનો લાઈવ ડેમો દેવેન્દ્રસિંહ જાડેજા ફાયર ઓફિસર અને જયેશ ડાકી લીડિંગ ફાયરમેન નાં માર્ગદર્શન હેઠળ કરેલ
મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ કેવી કેવી કામગીરી કરે છે અને કોઈ પણ પ્રકારની આગ લાગે ત્યારે અને રેસ્ક્યુ વખતે ઈમરજન્સી કોન્ટેક્ટ ૧૦૧ નંબર પર ફોન કરીને ફાયર સ્ટેશનનો સંપર્ક કરી શકાય છે.
મોરબી તાલુકાના બીલીયા ગામ પાસે ભટ્ટ પરિવાર દ્વારા સુરાપુરા ધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં બીલીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણનું જતન થાય તે માટે થઈને ભટ્ટ પરિવારના સુરાપુરા ધામના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યારે બીલીયા ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ભટ્ટ પરિવારના...
લાંબા અંતરની તો ઠીક પરંતુ ડેમુ ટ્રેન પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી
મોરબી જિલ્લો છે સીરામીક નગરી છે લાખો પરપ્રાંતિયો મજૂરો છે અનેક વખત લાંબા રૂટની ટ્રેન ની માંગણી કરવામાં આવી છે પરંતુ તે અપાવવામાં મોરબીના રાજકારણીઓ ફેલ થયા છે.
મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન જંખી રહ્યા હતા ત્યારે...