આજરોજ શ્રી સજનપર પ્રા. શાળામાં *બાળ સંસદ-2023* ની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અભ્યાસના ભાગરૂપે બાળકો જુદી જુદી ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર થાય એવા હેતુથી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું.
આપણા દેશમાં યોજાતી જુદી જુદી ચૂંટણીઓ જેવી કે ગ્રામ પંચાયત, તાલુકા-જિલ્લા પંચાયત, વિધાનસભા અને લોકસભાની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય છે કઈ રીતે પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટે છે તેની સમગ્ર માહિતી શાળા કક્ષાએ લાઈવ ચૂંટણી ગોઠવી સમજાવવામાં આવ્યું. આ બાળ સાંસદની ચૂંટણીમાં ધો. 6 થી 8 ના બાળકોમાંથી ઉમેદવારો પસંદ કરી ખાસ EVM APP ના ઉપયોગથી બધા બાળકોએ મતદાન કર્યું જેથી EVM ના ઉપયોગની બાળકોને સમજૂતી મળી રહે.બાળકોએ પોતે જ ચૂંટણી ફરજ પરના કર્મચારી તરીકે કામ કર્યું.
સમગ્ર કાર્યક્રમમાં બધા બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયથી વાકેફ થયા.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષિકા બહેન દેત્રોજા ભારતીબેન પી. એ કર્યું હતું અને તમામ શિક્ષકોએ તેમને સહકાર આપેલ. શ્રેષ્ઠ આયોજન બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા એ સમગ્ર સ્ટાફને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ હતા.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...