વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતો એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હોવાથી પરિવારજનો દ્વારા બાબતે પોલીસને અરજી કરવામાં આવી હોય જેમાં આજે સવારે આ યુવાનનો તેના ઘર નજીક આવેલ કુવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેથી બાબતની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતા અભયભાઈ પ્રેમજીભાઈ વોરા(ઉ.વ. ૧૯) નામનો યુવાન છેલ્લા ત્રણ દિવસથી પોતાના ઘરે કોઈ કહ્યા વગર નિકળી ગયો હોય જેથી બાબતે તેના મોટા ભાઈ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં લેખિત અરજી કરી ગુમસુધા નોંધ કરાવી હતી, જે યુવાનનો આજે તેના ઘર પાછળ આવેલ 70 ફૂટ ઊંડા કૂવામાંથી મૃતદેહ મળી આવ્યો હતો.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી ૧૭ સપ્ટેમ્બરે મોરબી જિલ્લાની મુલાકાતે પધારનાર છે. તેમની મુલાકાત સંદર્ભે વ્યવસ્થાના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. ઉપરાંત આ કાર્યક્રમ સંદર્ભે સ્થળ મુલાકાત...
મોરબી એક વિકાસની હરણફાળ ગતિએ પ્રગતિ કરે છે. ત્યારે મોરબીમાં જાહેર શૌચાલયના ખૂબ જ અભાવ છે. જે સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા મોરબી ઝોન 2 સામાકાંઠા વિસ્તારમાં જાહેર શૌચાલયની માંગણી કરવામાં આવી છે.
મોરબી ઝોન-૨ ગણાતા સામાકાંઠા વિસ્તાર કે જ્યાં પ્રાથમિક સુવિધા નો ખૂબ જ અભાવ છે. સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ...
ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાષ્ટ્રનાં બાળકો અને યુવાનોમાં રાષ્ટ્ર ચેતના, દેશભક્તિનાં સંસ્કારનું સિંચન કરવાં તથા સમર્થ રાષ્ટ્ર બને એ ઉદ્દેશથી “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. જેથી બંને સ્પર્ધાઓનું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ હતું.
જેમાં ભારત કો...