મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની રચના થયા બાદ બાકીના સદસ્યો વિવિધ 8 સમિતિની રચના થવાની રાહ જોઈ રહ્યા હતા અને આજે સમિતિની રચના માટે જિલ્લા પંચાયતના સભા ખંડમાં નવ નિયુક્ત પ્રમુખ હંસાબેન પારધીના અધ્યક્ષતામાં ખાસ સભા મળી હતી.
પ્રમુખ હંસાબેન પારધીની મંજુરી સાથે સભાની શરુઆત થઇ હતી અને અગાઉની સામાન્ય સભામાં થયેલા ઠરાવ અને પ્રોસીડીંગને બહાલી આપવામાં આવી હતી બાદમાં પ્રમુખ દ્વારા માત્ર કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિ અને તેમના ચેરમેનની નિમણુક કરી હતી કારોબારી સમિતિના ચેરમેન તરીકે પાર્ટી દ્વારા અગાઉથી જાહેર કરાયેલ પ્રવીણભાઈ ત્રિભોવનભાઈ સોનગરા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે કમળાબેન અશોકભાઈ ચાવડાની નિમણુક કરીછે તો ૬ સમિતિઓની રચના ને મુલતવી રાખી હતી. અચાનક માત્ર બે સમિતિની બહુમતીથી નિમણુક થયા બાદ શિક્ષણ સમિતિ, જાહેર આરોગ્ય સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા અને બાળ કલ્યાણ યુવા પ્રવુતિ સમિતિ,અપીલ સમિતિ,જાહેર બાંધકામ સમિતિ વગેરેની જાહેરાત કરવામાં આવી ન હતી અને આ બાકી રહેલી સમિતિની રચના આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે તેવો બચાવ કરતા ભાજપ શાસિત પંચાયતમાં હાલ સબ સલામત ન હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે અને એવી પણ ચર્ચા સામે આવી રહી છે કે કેટલાક સદસ્યો ભૂતકાળમાં ચેરમેન હતા તે સમિતિના ફરીથી ચેરમેન બનવાં માંગે છે પરંતુ પક્ષ તેમને ફરીથી એના એજ સભ્ય રીપીટ કરવાના મૂડમાં નથી તેના બદલે નવા ચહેરાને સ્થાન આપવા અને જો સભ્ય પૂરતા ન હોય તો વિભાગ બદલી નાખવામાં આવે તેવી સુચના છે પરંતુ ભાજપના સદસ્યો ટસના મસ ન થતા જાણે આંતરિક વિવાદ વધ્યો હોય અને ધીમે ધીમે સામે આવી રહ્યો હોય તેવા સવાલ ઉઠી રહ્યા છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...