ટંકારાના સજ્જપર ગામેથી દશ વર્ષની બાળકીનું અપહરણ

ટંકારા: ટંકારા તાલુકાના સજજનપર ગામેથી આધેડની સાળી તેમની દશ વર્ષની બાળકીનું અપહરણ કરી લઇ ગઈ હોવાની ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા કાળુભાઇ ઘેલાભાઈ ખાટરીયા (ઉ.વ.૫૨) એ આરોપી તેમની સાળી સોનુબેન ઘરમશીભાઈ સાથરીયા રહે. સુરત અમરોલી હાઉસીંગ આવાસ તા.જી. સુરતવાળી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૫-૦૯-૨૦૨૩ ના રોજ સવારના આશરે દસેક વાગ્યાના અરસામાં ફરીયાદીની દીકરીને ફરીયાદની સાળી સોનુબેન ફરીયાદીના કાયદેસરના વાલીપણામાથી કોઈ કારણોસર અપહરણ કરી લઈ ગયેલ હોવાથી ભોગ બનનાર કાળુભાઇએ આરોપી વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -૩૬૩ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img