મોરબી: આજે તારીખ 21/10/2023 શનિવાર નાં રોજ ચરાડવામાં આવેલ શ્રી ગીતાંજલી વિદ્યાલયમાં નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. આસો મહિનો એટલેમાં આદ્ય શક્તિનું પર્વમાં દુર્ગાનું પર્વ ગામડે ગામડે મોટા શહેરોમાં માનો મહિમા ગરબા દ્વારા રજૂ કરવામાં આવે છે સેરિયે સેરીએ ગલી ગલીમાં ગરબીઓ સાથે માનાં પર્વની ઉજવણી થાય છે.
પરંતુ જ્યારે આજ વસ્તુને ઉજવણી શાળામાં કરવામાં આવે છે ત્યારે નાનાં નાના ભૂલકાઓ. નાની બાળાઓ શિક્ષકો સાથે ગરબા લે છે ત્યારે આનંદ અનેરો બને છે. આવી જ ઉજવણી આજ રોજ શાળામાં કરવામાં આવે જેમાં બાળકો વિવિધ ટ્રેડિશનલ ડ્રેસમાં મનમોહક મોહી લીધું હતું. વિવિધ ડ્રેસ સ્પર્ધા , સુંદર ગરબા ગાવામાં નંબર આપ્યા હતા , સાથે સાથે બાળકોને મનોજભાઈ મકવાણા દ્વારા બાળકોને દાબલીનો નાસ્તો કરાવી બાળકોનો ઉત્સા વધાર્યો હતો.સમગ્ર આયોજનને સફળ બનાવવામાં સમગ્ર શિક્ષકગણ નો ફાળો અમૂલ્ય હતો. આ કાર્યક્રમને શાળાના આચર્યા દ્વારા બધા જ બાળકોને અભિનદન આપ્યા હતા.
મોરબી ખાતે મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે આજે વહેલી સવારથી જ શિવ મંદિરો હરહર મહાદેવનાં નાદ ગુંજી ઉઠ્યા હતા અને બહોળી સંખ્યામાં શિવભક્તો પુજન અર્ચન કરવા ઉમટી પડ્યા હતા સમગ્ર વાતાવરણ શિવમય બન્યું હતું વિશેષ પૂજા દુગ્ધાભિષેક મહા આરતી દીપમાળા રોશની અને વિશેષ શણગાર અને ચાર પ્રહારની પૂજા આરતી સાથે...
મોરબીના ઉમિયા સર્કલ અને અવની ચોકડી વચ્ચે કેનાલ રોડ પશ્ચિમ દિશામાં ભક્તિ નિકેતન ,૧,૨,૩, અવની, રાધા કિશન, ધર્મશુભ સોસાયટી આવેલી છે. જેમાં તાજેતરમાં કલેકટર દ્વારા કેનાલના બન્ને સાઈડના રોડને વનવે જાહેર કરવામાં આવેલ છે, જેના કારણે પશ્ચિમ દીશામાં ટ્રાફિક ઘણો વધી ગયો છે. અને વાહનો વનવે ના કારણે પુરપાટ...
મોરબી સિરામિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ખાતે આજે ભારત સરકારના ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ટેક્સપેયર સર્વિસીસ (DGTS)ના પ્રિન્સિપાલ એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી સુમિતકુમાર તથા પંકજકુમાર સર અને અન્ય જીએસટી અધિકારીઓની ઉપસ્થિતિમાં ટેક્સપેયર્સ માટે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં સિરામિક ઉદ્યોગ સાથે જોડાયેલા વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ...