મોરબીમાં હાલ નવરાત્રી મહોત્સવમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ ભારે રંગત જમાવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ખૈલૈયાઓ મન મુકીને મોડી રાત સુધી રાસ ગરબે ઝૂમી રહ્યા છે
મોરબી માં ઘણા વર્ષો થી અનેક સામજિક કર્યો માટે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે પણ મોરબીના ગરબા પ્રિય ખેલૈયાઓ માટે જાજરમાં આયોજન કરવામાં આવ્યું છે જેમાં માતાજીના સાતમા નોરતાના દિવસે શનિવાર હોવાથી ખૂબ ખૂબ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડયા હતા અને મોરબીનાં ખેલૈયાઓ એ પોતાના અવનવા ગરબા સ્ટેપ થકી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા
ખાસ કરી ને જાણીતા ગાયક કલાકારો અભિતા પટેલ, નારાયણ ઠાકર, ચૈતાલી છાયા, અનિરુધ આહીર, સુઝી ગૌસ્વામી, નરેશ વાઘેલા દ્વારા ફકત ગુજરાતી ગરબા ગાઈને મોરબીનાં લોકોને ઝુમાવ્યા હતા
અને આજે આઠમ નિમિતે વિશેષ મહા આરતીનું પણ અદકેરું આયોજન શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં પણ આજે સામજિક અને રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાશે
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...