ભારતના બંધારણને 26,મી નવેમ્બર-1949 ના રોજ સ્વીકૃતિ મળેલ હોય બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
મોરબી અત્રેની સબજેલમાં ઈન્ચાર્જ જેલર પી.એમ.ચાવડા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની ઉપસ્થિતમાં જેલના તમામ કેદીઓ સાથે *બંધારણ દિવસ* ની ઉજવણી કરવામાં આવી. શરૂઆતમાં કાર્યક્રમના મુખ્ય વક્તા દિનેશભાઈ ડી.વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ડો.બી.આર. આંબેડકરની પ્રતિમા સમક્ષ દિપ પ્રજ્વલિત કરી સુતરની આંટી અને ફુલહાર પહેરાવીને ઉજવણીની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પી.એમ.ચાવડાએ વક્તાના અભિવાદન સાથે બંધારણ દિવસની શુભેચ્છા આપી હતી. ત્યારબાદ દિનેશભાઈ વડસોલાએ સૌથી મોટા લોકશાહી દેશના સૌથી મોટા બંધારણની સમજ આપતા જણાવ્યું કે કોઈ પણ સંસ્થા ચલાવવા માટે નીતિ નિયમ કાયદાઓની જરૂર હોય છે,એમ આવડો મોટો દેશ ચલાવવા માટે કાયદાની જરૂર હોય છે, નીતિ નિયમોની જરૂર હોય છે,એ કાયદો એ નીતિ નિયમ એટલે આપણું બંધારણ.જુલાઈ-૧૯૪૬ માં બંધારણ સભાની રચના કરવામાં આવી.આ સભાની સભ્ય સંખ્યા ૩૮૯ હતી.સ્વતંત્ર ભારતના બંધારણના ઘડતર માટે જુદી જુદી 23 સમિતિઓની રચના કરવામાં આવી હતી.બંધારણ ઘડવા માટે ૨ વર્ષ ૧૧ માસ અને ૧૮ દિવસનો સમય લાગ્યો હતો.બંધારણ ઘડવા માટે ૬૦ દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો કુલ ૧૧ જેટલા અધિવેશન કરવામાં આવ્યા અને અંદાજે ૬૪ લાખ જેટલા ખર્ચ સાથે કુલ ૨૨ ભાગો,૮ અનુસૂચિ અને ૩૯૫ અનુચ્છેદ સાથેનું સર્વોત્તમ બંધારણ તૈયાર થયું અને ૨૬,મી નવેમ્બર ૧૯૪૯-ના રોજ બંધારણને સ્વીકૃતિ આપવામાં આવી અને ૨૬,મી જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ બંધારણનો અમલ કરવામાં આવ્યો.પાછળથી ઈ.સ.૧૯૭૬ માં સુધારા કરવામાં આવ્યા અને હાલ બંધારણમાં કુલ ૨૫ ભાગો,૧૨ અનુસૂચિ અને ૪૬૫ અનુચ્છેદ છે એવી માહિતી દિનેશભાઈ વડસોલાએ વિસ્તૃત રીતે આપી હતી તેમજ આમુખની વિસ્તૃત સમજ આપી આમુખનું વાંચન કરાવ્યું હતું અંતમાં ઇન્ચાર્જ જેલર પી.એમ.ચાવડાએ સૌના આભાર સાથે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...