મોરબી: વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ૬૨ જેટલા દર્દીઓને આરોગ્ય તપાસણી કરી જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
વર્લ્ડ હાયપરટેન્શન ડે નિમિતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભરતનગર દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતી તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કે જે દવે તેમજ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડી બી મહેતાની સૂચના અનુસાર પ્રા આ કે ભરતનગરના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો ડી એસ પાંચોટીયા ભરતનગર પ્રા આ કે તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તાર માં વર્લ્ડ હાયપરટેન્શન ડે ની ઉજવણી કરવામાં આવી તેમજ 62 જેટલા દર્દીઓને આરોગ્ય તપાસણી કરી જરૂરી દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...