મોરબીમાં ૪૫૦ થી વધુ સ્થળોએ યોજાયેલા કાર્યક્રમોમાં અંદાજે ૧.૪૦ લાખ જેટલા લોકો યોગમય બન્યા
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક સહિત બહોળી સંખ્યામાં નગરજનોએ યોગાભ્યાસ કર્યો
મોરબી: વિશ્વ સ્તરે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીની સમાંતર મોરબી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રસ્તાવને વર્ષ ૨૦૧૫ માં મંજૂરી મળતા દર વર્ષે ૨૧મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અનુસંધાને ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ‘સ્વયં અને સમાજ માટે યોગ ‘ની થીમ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી તથા મોરબી-માળીયા ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયાએ પ્રસંગોચિત ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ૧૮ કલાક કાર્ય કરી રહ્યા છે તેનું કારણ યોગ છે, વહેલી સવારમાં વહીવટી કામ કરતાં હોય તેવા વડાપ્રધાન ભારત દેશને મળ્યા છે. જીવનમાં મળેલ ૨૪ કલાકનો મહત્તમ ઉપયોગ કરવો હશે તો તેના માટે યોગ કરવા જરૂરી છે. નિયમિત યોગ કરવાથી માનવીની કાર્યક્ષમતામાં વધારો થાય છે. ઉપરાંત શારીરિક તેમજ શાંતિ અને વિકાસમાં પણ યોગનું મહત્વનું યોગદાન છે. આ સાથે મોરબીમાં સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ મંજૂર થયા હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો.
જિલ્લા કલેક્ટર કે. બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિના આગવા અંગ એવા યોગને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વિશ્વ ફલક પર પહોંચાડ્યું છે. યોગ આપણાં શરીરમાં સ્ફૂર્તિ તેમજ સ્વાસ્થ્ય માટે જરૂરી છે યોગને આપણે માત્ર આજના એક દિવસ માટે જ નહી પરંતુ રોજબરોજની જિંદગીમાં આવરી લેવા જોઈએ વધુમાં તેમણે સૌને નીરોગી સ્વાસ્થ્ય માટે યોગને જીવનમાં ઉતારવા અપીલ કરી હતી.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ યોગાસન, પ્રાણાયમ અને ધ્યાન કરી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. ઉપરાંત જિલ્લામાં ૪૫૦ જેટલા મુખ્ય સ્થળોએ યોજાયેલા તથા શાળા-કોલેજ કક્ષાએ યોજાયેલા કાર્યક્રમો મળી અંદાજે ૧,૪૦,000 થી વધુ લોકો યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. મોરબી જિલ્લાના કો- ઓર્ડીનેટર વાલજીભાઇ ડાભી અને તેની ટીમે ઉપસ્થિત સૌને યોગ, પ્રાણાયામ અને ધ્યાન કરાવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિતઓએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...