મોરબી: આજે માળીયા (મી) તાલુકાના બગસરા ગામે 108ની ટીમ દ્વારા ડેમો ટેશન આપવામાં આવ્યું હતું જેમા બગસરા ગામના ગ્રામજનો અને પંચાયતની ટીમને ઈમરજન્સી વિશે માહિતી આપવામાં આવી હતી.
આ ડેમો ટેશનમા 108 ઈમરજન્સી ટીમ માળીયા (મી). ના EMT દિપેશભાઈ તથા પાયલટ દાઉદભાઈ દ્વારા ગ્રામજનોને 108નો સદર ઉપયોગ થાયએ હેતુથી ડેમો ટેશન આપવામાં આવ્યું હતું અને કોઈ પણ ઈમરજન્સી આવે તો તુરંત 108માં કોલ કરવો તેવુ જણાવી ગામના લોકોને તથા બગસરા ગ્રામ પંચાયતની ટીમને જાગૃત કરાઈ હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...