ગત વર્ષે કારખાનાના પ્રદુષણના કારણે ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો તો, આ વર્ષે ફરી પ્રદુષણે માઝા મૂકતાં ગ્રામજનો કારખાને પહોંચી ઉગ્ર વિરોધ સાથે ફેક્ટરી બંધ કરાવી
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ સરદાર એગ્રો ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ પ્રા. લી. નામના કારખાનામાંથી નિકળતા પ્રદુષણ યુક્ત ધુમાડા તથા કેમિકલયુક્ત દુર્ગંધના કારણે ભલગામ ગામના નાગરિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હોય ત્યારે આજે કંટાળી આખરે ગ્રામજનો ફેક્ટરી ખાતે પહોંચી ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી કારખાનાનું બંધ કરાવ્યું હતું.
બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ ગામની સીમમાં આવેલ સરદાર એગ્રો ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ પ્રા. લી. નામના કારખાનામાંથી ફેલાતા પ્રદૂષણના કારણે આજુબાજુના વિસ્તારમાં લોકોની આંખો બળવી, ચક્કર આવવાં તથા બેભાન થઈ જવા સહિતની સમસ્યા તથા ખુલ્લા પાણીમાં કેમિકલના પડ જામવા તથા ખેતપાક નિષ્ફળ જવાથી જેવી આડ અસરો જોવા મળી રહી છે, જેનાથી કંટાળી આજરોજ ખેડૂતો તથા ગ્રામજનો દ્વારા કારખાને પહોંચી ઉગ્ર વિરોધ સાથે ફેક્ટરી બંધ કરવી હતી. જેમાં હાલ કારખાનેદાર બહાર હોય અને પોતે આવ્યા બાદ ગ્રામજનો સાથે બેઠક યોજી ચર્ચા કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કારખાનામાં ફેલાતા પ્રદુષણના કારણે ગત વર્ષે આજુબાજુના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો હતો, જેમાં લાંબી લડત બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતા મામલો થાળે પડ્યો હતો, જે બાદ આ મામલે ફરીથી ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય તથા ગ્રામજનોના સ્વાસ્થ્ય પર કોઈ હાનિકારક અસર થાય તે પુર્વે કારખાનામાંથી ફેલાતા પ્રદૂષણ મામલે ગ્રામજનોએ ઉગ્ર લડત શરૂ કરી છે
મોરબીના જેતપર ગામે હાઈટેન્શન વીજ લાઈનના વિરોધમાં ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે 14મા દિવસે પણ યથાવત રહ્યું છે, જેમાં હવે એક નવો વળાંક સામે આવ્યો છે. ખેડૂતોના સમર્થનમાં આવેલા જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને ખેડૂત નેતા નિલેશ એરવાડિયા વચ્ચેની વાતચીતનો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
આ...
જુલાઈ મહિનાની શરૂઆત દેશના નાગરિકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ દર મહિનાની પહેલી તારીખે થતી કિંમતોની સમીક્ષા અંતર્ગત 1 જુલાઈ, 2026થી 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹183નો નોંધપાત્ર ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ દિલ્હીમાં જે કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ₹3,113.50 હતો, તે હવે સસ્તો...
અમદાવાદ: જૂન મહિનામાં વરસાદની મોટી ઘટને કારણે ચિંતિત ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહતના સમાચાર આવ્યા છે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે દેશના મધ્ય ભાગમાં લો-પ્રેશર, ટ્રફ રેખા અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આગામી 48 કલાકમાં ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરશે. વરસાદ ખેંચાવાને કારણે...