મોરબી: મોરબીના માણેકવાડા ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિતે તારીખ ૨૦-૦૭-૨૦૨૪ ને શનિવારના રોજ રાત્રે ૯:૩૯ કલાકે બોલ કળાકડ સીતારામ આશ્રમ માણેકવાડા ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં ઉર્મિલા સાઉન્ડના સથવારે ભજનિક દલસુખ પ્રજાપતિ, વિજય ગઢવી, સાહિત્યકાર ભરતભાઇ પટેલ અને સાજીંદા ગ્રુપના કશ્યપ અગ્રવાત દ્વારા ભજન અને સંતવાણીની રમઝટ બોલવામાં આવશે.
