મોરબી: જબુબેન મકનભાઈ રંગપરીયા (ઉ.વ. 88) તે સ્વ. રમેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ મહેશભાઈ મકનભાઈ રંગપરીયા તેમજ પ્રવીણભાઈ મકનભાઈ રંગપરીયાના માતૃશ્રી તથા પત્રકાર યોગેશભાઈ રમેશભાઈ રંગપરીયા તથા ભાસ્કરભાઈ મહેશભાઈ રંગપરીયા તથા બ્રિજેશભાઈ મહેશભાઈ રંગપરીયાના દાદીમાનું તા.17-07-2024 ને બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
સદગતનું બેસણું તા.19-07-2024 ને શુક્રવાર ના રોજ સવારે 8:00 થી 10 કલાકે સ્થળ યુનીટ નં.-01 પટેલ સમાજ વાડી રાજપર ગામ મોરબી ખાતે રાખેલ છે.
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...
ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ...