મોરબી: મોરબી જિલ્લા બાર એસોસિયેશન દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ દેવધરા તથા નવા નીમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડા તથા એડીશ્નલ ડીસ્ટ્રીકટ જજ પંડયાની સ્પે. પોકસો કોર્ટમાં બદલી થતા તમામની વેલકમ તથા ફેરવેલ પાર્ટીનું પ્રમુખ દીલીપભાઈ અગેચાણીયાની આગેવાનીમાં આયોજન કરવામાં આવ્યું હતુ.
સૌ પ્રથમ મોરબી બાર એસોસિયેશનના પ્રમુખ દ્વારા મોમેન્ટો આપી ડીસ્ટ્રીકટ જજને સન્માન કરવામાં આવેલ તેમજ નવા નિમાયેલા ડીસ્ટ્રીકટ જજ મહીડાને મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના એડી ડીસ્ટ્રીકટ જજ પંડયાનુ સન્માન મોરબી બારના ઉપપ્રમુખ ટી.બી. દોશી દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના ચીફ જયુડી. જજ રાવલનુ સન્માન મો૨બી બા૨ના જોઈન્ટ સેક્રેટરી ઉદયસીંહ જાડેજા દ્વારા કરવામાં આવેલ તેમજ હાજર રહેલ મોરબીના પ્રિન્સી. ફેમીલી જજ વાનાણી, ઈજનેર, ચંદનાની, ખાન, જાડેજાનુ તથા લીગલ સર્વિસ ઓથોરીટીના જજ પારેખનુ સન્માન મોરબી બારના કારોબારી સભ્ય સાગર પટેલ, બ્રિજરાજસીહ ઝાલા, કરમશી પરમાર દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ઉપસ્થીત રહેલ સબકારી વકીલ જાની, દવે, કારીઆ, ચીસ્તી, નીલીમાબેન સહિતનાનુ પણ સન્માન કરવામાં આવેલ. તેમજ મો૨બી બારના વિકાસમાં સતત પ્રયત્નશીલ રહેતા દીલીપભાઈ અગેચાણીયાનુ સન્માન તમામ જુનીયર એડવોકેટ દ્રારા કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં આભાર દર્શન મોરબી બારના સેક્રેટરી વીજયભાઈ શેરશીયા તથા જીતેનભાઈ અગેચાણીયા દ્રારા કરવામાં આવેલ. આ પ્રસંગને સફળ બનાવવા માટે બારના તમામ હોદેદારોએ જહેમત ઉઠાવેલ હતી.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...